હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે સુલેહ શાંતિ ભંગ કરવા ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરતાં રજૂઆત કરાઇ


SHARE













મોરબીના ખાનપર ગામે સુલેહ શાંતિ ભંગ કરવા ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરતાં રજૂઆત કરાઇ

મોરબીના ખાનપર ગામે ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરીને ગામની સુલેહ અને શાંતિ ભંગ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે અરજદાર જમીનમાં શરત ભંગ કરાતો હોવા અંગે ગ્રામ પંચાયતે મામલતદારને લેખિત રજૂઆત કરી છે

મોરબીની ખાનપર ગ્રામ પંચાયતના સરપંચ ખંતીલભાઈ ભીમાણીની આગેવાનીમાં મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, ખાનપર ગામના અને હાલ મોરબી રહેતા અરજદાર પ્રવીણભાઈ કાનજીભાઈ બાર દ્વારા મહેસુલ વિભાગમાં અરજી કરેલ છે અને તેને સાંથણીમાં મળેલ જમીનમાં તળાવ સંપાદન થયેલ છે તો શું આ જમીન અરજદારને પછી મળવાલાયક છે અને જમીનનો તેમની પાસે કબજો પણ હતો નહિ ખાનપર ગામે સાંથણી વાળી જમીનની બે વાર માપણી થઇ ગયેલ છે જેમાં અરજદારની જમીનની માપણી થયેલ છે કે કેમ ? અમારી જાણ મુજબ જમીનની માપણી થયેલ જ નથી કારણકે તેમની પાસે જમીનનો કબજો હતો નહિ જેથી વ્યક્તિને જમીન મળવા પાત્ર નથી

સરકારી ખરાબો હોવાથી ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ અહી વૃક્ષો વાવ્યા હતા અને અરજદારની જમીનનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરાયો નથી હાલમાં ખાનપર ગામે આવેલ વર્ષો જૂની ગોમ્ટેશ્વર મહાદેવ મંદિર જગ્યામાં દબાણ કરેલ હોય તેવી લેન્ડ ગ્રેબિંગ અરજી કરલે છે અને જગ્યામાં આવું કોઈ દબાણ કરાયું નથી વર્ષોથી આ જગ્યા સમસ્ત ગ્રામજનો સાર્વજનિક હેતુ માટે ઉપયોગ કરાય છે આવી ખોટી અરજીઓ કરી ગામની સુલેહ અને શાંતિ ભંગ થાય તેવું છે જેથી કરીને આવી ખોટી અરજીઓ રદ કરવામાં આવે તે જરૂરી છે






Latest News