હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ખેવાળીયાના સરપંચ પ્રફુલભાઈ હોથીએ મોરને નવજીવન આપ્યુ


SHARE













મોરબીના ખેવાળીયાના સરપંચ પ્રફુલભાઈ હોથીએ મોરને નવજીવન આપ્યુ

મોરબી તાલુકાના ખેવાળીયા ગામના સેવાભાવી સરપંચ પ્રફુલભાઈ હોથી તથા સુરેશભાઈ એમ.શેરસીયા દ્વારા ઇજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષી મોરને તાત્કાલિક વન વિભાગ મોરબીના અધીકારીઓનો સંપર્ક કરીને વન વિભાગને સોંપી મોરને નવજીવન આપ્યુ હતુ.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર આવતા ખેવાળીયા ગામે કુતરાઓ દ્વારા મોરને ઇજા પહોંચાડવામાં આવી હતી જેથી કરીને મોર એક વાડામાં છેલ્લા બે-ત્રણ દિવસથી બેઠો રહેતો હતો જે અંગે ગ્રામજનો તરફથી જાણ થતાં ગામના સરપંચ પ્રફુલભાઈ હોથી દ્વારા આ અંગે ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરાયો હતો અને ફોરેસ્ટ વિભાગે જણાવતા તાત્કાલીક મોરની સારવાર થઇ શકે તે માટે સરપંચ દ્વારા મોરને અન્ય ગ્રામજનોની મદદથી પકડવામાં આવ્યો હતો.મોરને પકડીને ફોરેસ્ટ વિભાગની ઓફિસ કેજે મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ રોટરીનગર પાસે આવેલ છે ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં મોરની સારવાર સહિતની આગળની વિધિ કરવામાં આવી હતી.






Latest News