હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય


SHARE













વાંકાનેરનાં પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરની હનુમાન શેરીમાં આવેલ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસનાં દિવસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય રહેલું હોય આજ ધનતેરસના દિવસે વેપારીઓ તેમજ શહેરીજનોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

વાંકાનેરનાં આ મંદિરમાં "માગધી લિપિ" માં લખેલો શિલાલેખ મળી આવેલ છે.જે લિપિનું આશરે ૪૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વ હતું.આથી આ મંદિર પૌરાણિક મંદિર હોવાનું મનાય છે.આથી આ મંદિર વિશેષ ધાર્મિક મહાત્મ્ય ધરાવે છે.ધન તેરસ તથા દિવાળીનાં દિવસે ચોપડા પૂજન બાદ પૂજન કરેલ પડો, સાકર જેવી ચીજ વસ્તુઓ વેપારીઓ અહીં અર્પણ કરે છે.જે વર્ષો જુની પરંપરા છે. આજે ધનતેરસ નિમિતે પણ દુકાનો અને ઘરમાં ધનની પૂજન વિધિ કરી વેપારીઓ શહેરીજનો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.સ્વ.નટુભાઈ દવેએ દાતાઓનાં સહયોગથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને ઘણા વર્ષો સુધી આ મંદિરમાં સેવા આપી હતી.હાલ લાભૂબેન ગોસ્વામી આ મંદિરમાં પૂજન આરતી સહિતનું સેવા સંચાલન સંભાળી રહ્યા છે.






Latest News