હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના હળવદ ખાતે ધન્વંતરિ યજ્ઞ, નિ:શુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો


SHARE







મોરબીના હળવદ ખાતે ધન્વંતરિ યજ્ઞ, નિ:શુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો

નિયામક આયુષની કચેરી-ગાંધીનગરની સુચના અન્વયે જિલ્લા આયુર્વેદ અધિકારી-મોરબીના માર્ગદર્શન હેઠળ તા૨-૧૧ ના રોજ છઠ્ઠા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” ની ઉજવણી અંતર્ગત ધન્વન્તરિ જયંતી (ધનતેરસ) ના શુભ દિવસે સરકારી આયુર્વેદ દવાખાનું હળવદ ખાતે ધન્વંતરિ યજ્ઞ તેમજ નિ:શુલ્ક સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કેમ્પમાં હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પરષોતમભાઇ સાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. ધન્વંતરી પ્રાગટ્ય દિન નિમિતે ધન્વંતરી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છઠ્ઠા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” ની થીમ “આયુર્વેદ ફોર પોષણ” અંતર્ગત વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ.દિનચર્યા, રૂતુચર્યા, વિરૂધ્ધઆહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓ, યોગનુ મહત્વ તથા યોગાભ્યાસ વગેરે અલગ અલગ વિષયોની સમજણ આપવામાં આવી હતી.

વિવિધ આયુર્વેદ ઔષધિઓનુ પ્રદર્શન-તથા હર્બલ ગાર્ડનમાં ઉપલબ્ધ વનસ્પતિઓની લોકોને સમજ આપવામાં આવી હતી.૦ થી ૫ વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા તેમજ હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર આપવામાં આવી સાંધાના દુખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા આપવામાં આવી તેમજ હોમીયોપેથી સારવાર આપવામાં આવી હતી. સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ “હર્બલ ડ્રીંક” નુ વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ. રૂતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.૧૨૫૦ જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો તેમ વૈદ્ય પ્રવિણ વડાવિયા (જિલ્લા આયુર્વેદ અધિકારી) એ યાદીમાં જણાવેલ છે.






Latest News