ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા વાંકાનેરના ચંદ્રપુર પાસે રોડ સાઈડની જાળીમાં બાઇક અથડાતાં યુવાનનું મોત હળવદના સુખપર નજીક ટ્રેક્ટરની પાછળના ભાગમાં બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબી નજીક કારખાના ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: ટંકારાના ઓટાળા પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર (કું) ગામે રહેતા વૃદ્ધને છાતીમાં ગરમી ચડી જતાં સારવાર મળે તે પહેલા જ મોત


SHARE









મોરબીના રાજપર (કું) ગામે રહેતા વૃદ્ધને છાતીમાં ગરમી ચડી જતાં સારવાર મળે તે પહેલા જ મોત

મોરબી તાલુકાના રાજપર (કું) ગામે રહેતા વૃદ્ધને છાતીમાં ગરમી ચડી જતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બંને અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા જયંતીલાલ છગનલાલ  અમૃતિયા (૫૯) ને રાત્રિના ૧૨ વાગ્યાના અરસામાં છાતીમાં ગરમી ચડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાવડી ગામ નજીક આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ જલાભાઇ ગઢવી નામના ૩૧ વર્ષના યુવાનને પંચાસર રોડ ખાતે રાતના બારેક વાગ્યે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલેથી પોલીસને જાણ કરાતા સ્ટાફના વી.કે.પટેલ દ્વારા મારામારીના કારણ અંગે તપાસ શરૂ કરાય છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા કાંતાબેન જેઠાભાઈ જાદવ નામના ૫૦ વર્ષીય મહિલાને તેમના પતિ દ્વારા કોઈ કારણોસર માર મારવામાં આવ્યો હતો. જેથી કાંતાબેનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.હાલ મારામારીના આ બનાવની હોસ્પિટલમાંથી પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના એમ.એચ.વાસાણી દ્વારા નોંધ કરીને કારણ અંગે આગળની તજવીજ શરૂ કરાઇ છે.






Latest News