મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રાજપર (કું) ગામે રહેતા વૃદ્ધને છાતીમાં ગરમી ચડી જતાં સારવાર મળે તે પહેલા જ મોત


SHARE













મોરબીના રાજપર (કું) ગામે રહેતા વૃદ્ધને છાતીમાં ગરમી ચડી જતાં સારવાર મળે તે પહેલા જ મોત

મોરબી તાલુકાના રાજપર (કું) ગામે રહેતા વૃદ્ધને છાતીમાં ગરમી ચડી જતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બંને અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા જયંતીલાલ છગનલાલ  અમૃતિયા (૫૯) ને રાત્રિના ૧૨ વાગ્યાના અરસામાં છાતીમાં ગરમી ચડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાવડી ગામ નજીક આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ જલાભાઇ ગઢવી નામના ૩૧ વર્ષના યુવાનને પંચાસર રોડ ખાતે રાતના બારેક વાગ્યે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલેથી પોલીસને જાણ કરાતા સ્ટાફના વી.કે.પટેલ દ્વારા મારામારીના કારણ અંગે તપાસ શરૂ કરાય છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા કાંતાબેન જેઠાભાઈ જાદવ નામના ૫૦ વર્ષીય મહિલાને તેમના પતિ દ્વારા કોઈ કારણોસર માર મારવામાં આવ્યો હતો. જેથી કાંતાબેનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.હાલ મારામારીના આ બનાવની હોસ્પિટલમાંથી પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના એમ.એચ.વાસાણી દ્વારા નોંધ કરીને કારણ અંગે આગળની તજવીજ શરૂ કરાઇ છે.




Latest News