લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિરે 1100 દિવડાની મહાઆરતી યોજાશે


SHARE





મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિરે 1100 દિવડાની મહાઆરતી યોજાશે

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર સાથે લોકો આસ્થા સાથે જોડાયેલ છે અને ત્યાં નવરાત્રિની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આગામી તા. 17 ને ગુરૂવારે શરદ પૂનમના દિવસે સાંજે 6:45 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે 1100 દિવડાની મહાઆરતી કરવામાં આવશે. જેથી કરીને મહાઆરતીમાં મોરબીના ભક્તોને જોડાવા માટે પ્રસન્નબા જે. રાઠોડ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News