મોરબીમાં સામું જોવા બાબતે છરી-ધોકા વડે હુમલો કરનારા પાંચ શખ્સની સામે કાર્યવાહી
મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિરે 1100 દિવડાની મહાઆરતી યોજાશે
SHARE








મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિરે 1100 દિવડાની મહાઆરતી યોજાશે
મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર સાથે લોકો આસ્થા સાથે જોડાયેલ છે અને ત્યાં નવરાત્રિની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આગામી તા. 17 ને ગુરૂવારે શરદ પૂનમના દિવસે સાંજે 6:45 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે 1100 દિવડાની મહાઆરતી કરવામાં આવશે. જેથી કરીને મહાઆરતીમાં મોરબીના ભક્તોને જોડાવા માટે પ્રસન્નબા જે. રાઠોડ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

