મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા મોરબીના નાની વાવડી ગામે કલેક્ટરે બાળકોની આંગળી પકડીને કરાવ્યો શાળા પ્રવેશ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ: મોરબીની રામકૃષ્ણ, જ્ઞાન જ્યોતિ અને એન.જી. વિદ્યાલયમાં ૪૧૫ બાળકોને પ્રવેશ મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ: વિજેતાઓને અપાયા પુરસ્કાર મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે ઉદ્ઘાટન મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન


SHARE















મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન

મોરબીના શક્ત શનાળા ગામે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ઘણા વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજના રાજકીય અને સામાજિક આવેગનો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ તકે ક્ષત્રિય સમાજના જુદાજુદા કાર્યક્રમોમાં માતબર દાન આપતા દાતાઓની સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ઘણા વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરંપરા મુજબ તા. 17 ને ગુરુવારના રોજ હવન યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે હવન-યજ્ઞાદિ 8:00 વાગ્યે શરૂ કરવામાં આવ્યો હતો અને તેની પૂર્ણાહુતિ 12:30 વાગ્યે કરવામાં આવી હતી આ તકે સન્માન સમારોહ પણ યોજાયો હતો જે કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડો. રુદ્રસિંહ જનકસિંહ ઝાલા હાજર રહ્યા હતા. તે ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા સહિતના સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તેમજ શનાળાના શક્તિ માતાજીનાં મંદિરના મહંત સહિતના હાજર રહ્યા હતા આ તકે જયદીપ કંપની ગ્રૂપના જયુભા જાડેજા તેમજ દેવ સોલ્ટ ગ્રૂપના જયરાજસિંહનું ઝાલા પરિવાર વતી આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ રઘુવીરસિંહ કેઝાલા અને તેની ટિમ તથા નિરુભા ઝાલા અને મહેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. 






Latest News