મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે


SHARE





મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે

આગામી દિવાળીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ અને ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે

મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ચોકલેટ બરફી, પીસ્તા બરફી, પનીર લાડુ, થાબડી, ટોપરાપાક જેવી મીઠાઈ 130 રૂપિયામાં 500 ગ્રામ આપવામાં આવશે તેમજ ખટમીઠું ચવાણું, મિક્સ ચવાણું, પંચરત્ન ચવાણું, ચકરી અને બેબી ભાખરવડી 60 રૂપિયાનું 500 ગ્રામ, નડીયાદી ભુસુ, બોમ્બે ભેળ, રોલ પુરી 70 રૂપિયાનું 500 ગ્રામ મળશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, જે લોકોને મીઠાઈ તેમજ ફરસાણ લેવાના હોય તેમને અગાઉથી બુકિંગ કરાવવું પડશે. જેના માટે બુકિંગ તા. 18 થી 23 સુધી કરવામાં આવશે. આ મીઠાઈ અને ફરસાણનું વિતરણ તા. 27 ના રોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી ટેકરી મેઈન રોડ પર જુની એચડીએફસી બેંકની બાજુમાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રાઘવજીભાઈ મનજીભાઈ અઘારા અને આશકભાઈ રમજાનભાઈ નવોડીયાનો આર્થિક સહયોગ આપેલ છે.

જે લોકોને બુકિંગ કરાવવું હોય તેમને ગૌતમ ક્લોથ સ્ટોર્સ, જેલ રોડ, શશીભાઈ મહેતા (9824616089), વિકાસ ઓટો મોબાઈલ, પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા (9825644991), કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન, નિસર્ગભાઈ (9909215520), ભાવેશ ટ્રેડર્સ, મહેન્દ્રનગર મેઈન રોડ કિરીટભાઈ સંઘવી (9429097765), કિશોરભાઈ પલાણ, વસંત પ્લોટ-3, ચકીયા હનુમાન (9879963762), શ્રદ્ધા અગરબત્તી, એ.કે.કુ. પાસે, ડાયમંડ બ્યૂટી પાર્લરની બાજુમાં (9624457199), અલ્પાબેન કક્કડ, લખધીરવાસ લક્ષ્મીનારાયણ શેરી (9023104446), ભારતીબેન રાચ્છ, વાવડી રોડ, કૃષ્ણનગર-2, ગાયત્રીનગર-4 (9099347773) નો સંપર્ક કરવા જણાવાયું છે.




Latest News