મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ
Breaking news
Morbi Today

મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે


SHARE















મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે

આગામી દિવાળીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ અને ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે

મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ચોકલેટ બરફી, પીસ્તા બરફી, પનીર લાડુ, થાબડી, ટોપરાપાક જેવી મીઠાઈ 130 રૂપિયામાં 500 ગ્રામ આપવામાં આવશે તેમજ ખટમીઠું ચવાણું, મિક્સ ચવાણું, પંચરત્ન ચવાણું, ચકરી અને બેબી ભાખરવડી 60 રૂપિયાનું 500 ગ્રામ, નડીયાદી ભુસુ, બોમ્બે ભેળ, રોલ પુરી 70 રૂપિયાનું 500 ગ્રામ મળશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, જે લોકોને મીઠાઈ તેમજ ફરસાણ લેવાના હોય તેમને અગાઉથી બુકિંગ કરાવવું પડશે. જેના માટે બુકિંગ તા. 18 થી 23 સુધી કરવામાં આવશે. આ મીઠાઈ અને ફરસાણનું વિતરણ તા. 27 ના રોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી ટેકરી મેઈન રોડ પર જુની એચડીએફસી બેંકની બાજુમાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રાઘવજીભાઈ મનજીભાઈ અઘારા અને આશકભાઈ રમજાનભાઈ નવોડીયાનો આર્થિક સહયોગ આપેલ છે.

જે લોકોને બુકિંગ કરાવવું હોય તેમને ગૌતમ ક્લોથ સ્ટોર્સ, જેલ રોડ, શશીભાઈ મહેતા (9824616089), વિકાસ ઓટો મોબાઈલ, પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા (9825644991), કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન, નિસર્ગભાઈ (9909215520), ભાવેશ ટ્રેડર્સ, મહેન્દ્રનગર મેઈન રોડ કિરીટભાઈ સંઘવી (9429097765), કિશોરભાઈ પલાણ, વસંત પ્લોટ-3, ચકીયા હનુમાન (9879963762), શ્રદ્ધા અગરબત્તી, એ.કે.કુ. પાસે, ડાયમંડ બ્યૂટી પાર્લરની બાજુમાં (9624457199), અલ્પાબેન કક્કડ, લખધીરવાસ લક્ષ્મીનારાયણ શેરી (9023104446), ભારતીબેન રાચ્છ, વાવડી રોડ, કૃષ્ણનગર-2, ગાયત્રીનગર-4 (9099347773) નો સંપર્ક કરવા જણાવાયું છે.






Latest News