મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધારાસભ્ય રજૂઆત કરે: મોરબી કોંગ્રેસનાં આગેવાનની માંગ


SHARE













ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધારાસભ્ય રજૂઆત કરે: મોરબી કોંગ્રેસનાં આગેવાનની માંગ

મોરબી પાંજરાપોળ  ખાતે ઘર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, વરસાદના લીધે ધર્મસભા થઈ શકી ન હતી અને જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ આશીર્વચન આપીને નીકળી ગયા હતા અને આગામી સમયમાં તેઓ પાછા ત્યાં ધર્મ સભા કરવા માટે આવશે તેવી જાહેરાત તેઓએ કરેલ છે જો કે, ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ માંગ કરી છે.

મોરબીની પાંજરાપોળ ખાતે ગઇકાલે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં ઘર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, વરસાદના લીધે ધર્મ સભા થયેલ ન હતી પરંતુ પત્રકારોએ ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગને લઈને સવાલ કર્યો હતો ત્યારે સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ કહ્યું હતું કે, ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટેની વર્ષોથી માંગ કરવામાં આવે છે જેથી સાધુ સંતો અને હિન્દુની માંગને ધ્યાને લઈને સરકારે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી જ જોઈએ ત્યારે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના જિલ્લાના તમામ ધારાસભ્યો દ્વારા પ્રજાની લાગણી અને માંગણીને ધ્યાને લઈને સાધુ સંતો તેમજ હિન્દુઓની વર્ષો જૂની માંગણી સંતોષાય તે માટે ગુજરાત વિધાનસભામાં ગો હત્યા પ્રતિબંધ મૂકે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે તે માટે રજૂઆત કરવી જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે તેમ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.




Latest News