મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધવાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ હળવદના વાંકીયા ગામે વાડીએ પત્ની સાથે બોલાચાલી થતાં લાગી આવતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધારાસભ્ય રજૂઆત કરે: મોરબી કોંગ્રેસનાં આગેવાનની માંગ


SHARE















ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધારાસભ્ય રજૂઆત કરે: મોરબી કોંગ્રેસનાં આગેવાનની માંગ

મોરબી પાંજરાપોળ  ખાતે ઘર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, વરસાદના લીધે ધર્મસભા થઈ શકી ન હતી અને જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ આશીર્વચન આપીને નીકળી ગયા હતા અને આગામી સમયમાં તેઓ પાછા ત્યાં ધર્મ સભા કરવા માટે આવશે તેવી જાહેરાત તેઓએ કરેલ છે જો કે, ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ માંગ કરી છે.

મોરબીની પાંજરાપોળ ખાતે ગઇકાલે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં ઘર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, વરસાદના લીધે ધર્મ સભા થયેલ ન હતી પરંતુ પત્રકારોએ ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગને લઈને સવાલ કર્યો હતો ત્યારે સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ કહ્યું હતું કે, ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટેની વર્ષોથી માંગ કરવામાં આવે છે જેથી સાધુ સંતો અને હિન્દુની માંગને ધ્યાને લઈને સરકારે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી જ જોઈએ ત્યારે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના જિલ્લાના તમામ ધારાસભ્યો દ્વારા પ્રજાની લાગણી અને માંગણીને ધ્યાને લઈને સાધુ સંતો તેમજ હિન્દુઓની વર્ષો જૂની માંગણી સંતોષાય તે માટે ગુજરાત વિધાનસભામાં ગો હત્યા પ્રતિબંધ મૂકે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે તે માટે રજૂઆત કરવી જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે તેમ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.






Latest News