મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ધોળેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિતે  અનેક પરિવારોનાં સૂરાપૂરાનું થાય છે પરંપરાગત પૂજન


SHARE













વાંકાનેરનાં ધોળેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિતે  અનેક પરિવારોનાં સૂરાપૂરાનું થાય છે પરંપરાગત પૂજન

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ ધોળેશ્વર મહાદેવ ખાતે અનેક પરિવારોનાં સૂરાપૂરા દાદા બિરાજે છે, કાળી ચૌદશ નિમિતે પરિવારજનો દ્વારા પરંપરાગત પૂજન અર્ચન કરવાનું ધાર્મિક મહાત્મ્ય રહેલું છે.

ડુંગરાળ વિસ્તાર વચ્ચે પ્રાકૃતિક સૌંદર્ય સભર ધોળેશ્વર મંદિર આસપાસ અનેક પરિવારોનાં સૂરા પૂરા દાદાનાં વર્ષો પહેલાંનાં "પાળીયા" બિરાજમાન છે, કાળી ચૌદશ નિમિતે સૂરાપૂરા દાદાનું પૂજન અર્ચન કરવાની પરંપરા છે, પેઢી દર પેઢી અનેક પરિવારજનો કાળી ચૌદશનાં દિવસે અહીં પૂજન અર્ચન કરી ગોળ ચોખાનો પ્રસાદ લે છે, અહીં ભટ્ટી પરિવાર, મકવાણા પરિવાર, સુખડીયા ગોયાણી પરિવાર, ત્રિવેદી પરિવાર, પરમાર પરિવાર, સતી માતા, વીરમીયા પરિવાર, ત્રેટીયા  રાવલ કુટુંબનાં મીઠા બાપા,  તન્ના પરિવાર, સમસ્ત રાધનપરા બારભાયા પરિવાર સહિત અનેક પરિવારોનાં સૂરાપૂરા દાદા બિરાજે છે, અને કાળી ચૌદશનાં દિવસે દરેક પરિવારો દ્વારા પેઢી દર પેઢી થી સૂરાપૂરા દાદાનું પૂજન કરવામાં આવે છે.






Latest News