મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં ભુકંપનો આંચકો, કોઇ નુકશાની નહીઃ કલેકટર


SHARE













મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેથી કરીને આ મુદ્દે મોરબી જિલ્લાના કલેક્ટર સાથે વાત કરતા તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું છે અને તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે જોકે હજુ સુધી કોઇ પણ જગ્યાએથી મોટી નુકસાનીના સમાચાર મળ્યા નથી

દિવાળીની મોડી સાંજે સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલા જિલ્લા તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવ્યો છે અને તેનું એપિ સેન્ટર કચ્છ બાજુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાના પાંચ તાલુકા જેમાં મોરબી, ટંકારા વાંકાનેર, હળવદ અને માળીયા તાલુકાની અંદર પણ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે અને ઘણા બધા લોકો ભૂકંપ આવ્યો ત્યારે પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને આ બાબતે મોરબી જિલ્લાના કલેક્ટર જે.બી.પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે જોકે મોરબી જિલ્લાના એક પણ તાલુકાની અંદર બહુ મોટી નુકશાની કોઈપણ પ્રકારની હોય તેવી માહિતી હજુ સુધી સામે આવી નથી અને બાજુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામની આસપાસના વિસ્તારમાં ભૂકંપના વધુ આંચકા અનુભવ્યા હોય તેવું લોકો કરી રહ્યા છે






Latest News