ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં ભુકંપનો આંચકો, કોઇ નુકશાની નહીઃ કલેકટર


SHARE







મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેથી કરીને આ મુદ્દે મોરબી જિલ્લાના કલેક્ટર સાથે વાત કરતા તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું છે અને તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે જોકે હજુ સુધી કોઇ પણ જગ્યાએથી મોટી નુકસાનીના સમાચાર મળ્યા નથી

દિવાળીની મોડી સાંજે સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલા જિલ્લા તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવ્યો છે અને તેનું એપિ સેન્ટર કચ્છ બાજુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાના પાંચ તાલુકા જેમાં મોરબી, ટંકારા વાંકાનેર, હળવદ અને માળીયા તાલુકાની અંદર પણ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે અને ઘણા બધા લોકો ભૂકંપ આવ્યો ત્યારે પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને આ બાબતે મોરબી જિલ્લાના કલેક્ટર જે.બી.પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે જોકે મોરબી જિલ્લાના એક પણ તાલુકાની અંદર બહુ મોટી નુકશાની કોઈપણ પ્રકારની હોય તેવી માહિતી હજુ સુધી સામે આવી નથી અને બાજુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામની આસપાસના વિસ્તારમાં ભૂકંપના વધુ આંચકા અનુભવ્યા હોય તેવું લોકો કરી રહ્યા છે






Latest News