મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ઘરમાં ઉલ્ટી થયા બાદ સારવારમાં ખસેડાયેલ વૃદ્ધનું મોત


SHARE















મોરબીના રવાપર ગામે ઘરમાં ઉલ્ટી થયા બાદ સારવારમાં ખસેડાયેલ વૃદ્ધનું મોત

મોરબીમાં રવાપર નજીક આવેલ ક્રિષ્ના સ્કૂલ વાળી શેરીમાં તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ ઘરે હતા ત્યારે માથામાં દુખાવો થતો હતો અને ઉલટી થવા લાગી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવેલ હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા હતા ત્યારે તે બેભાન થઈ ગયા હોવાના કારણે તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા

મોરબીના રવાપર ગામ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ વાળી શેરીમાં તુલસીપત્ર એપાર્ટમેન્ટ બ્લોક નંબર 101 માં રહેતા પ્રાણજીવનભાઈ લાલજીભાઈ સરડવા (59) પોતે પોતાના ઘરે હતા ત્યારે માથામાં દુખાવો થતો હતો અને ઉલટી થવા લાગી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા ત્યારે રસ્તામાં બેભાન થઈ જતા તે કશું બોલતા ન હોવાથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક ચોરી

વાંકાનેરમાં આવેલ ચંદ્રપુર નજીક પાણીના ટાંકા પાસે રહેતા રફીકભાઈ અબ્દુલભાઈ મોળ (38)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ચંદ્રપુર ગામે પાણીના ટાંકા પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એઇ 6251 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 60,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News