મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબી સરસ્વતી શિશુમંદિરમાં દિપાવલી નિમિત્તે વાનગી-લોકસાહિત્ ગાયન પ્રતિયોગિતા યોજાઇ


SHARE















મોરબી સરસ્વતી શિશુમંદિરમાં દિપાવલી નિમિત્તે વાનગી-લોકસાહિત્ ગાયન પ્રતિયોગિતા યોજાઇ

મોરબીની સરસ્વતી શિશુમંદિરમાં દિપાવલી પર્વ નિમિત્તે વાનગી અને લોકસાહિત્ ગાયન પ્રતિયોગિતા રાખવામાં આવી હતી. અને પ્રભાત તેમજ ધોરણ ૧ થી ૧૦ના વાલીઓએ બંને પ્રતિયોગીતામાં ભાગ લીધેલ હતો. આ તકે વિશેષ અતિથિ શીતલબેન પ્રશાંતભાઈ સીતાપરા જે વિદ્યાલયના સક્રિય વાલી છે તે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મંચસ્થ કાર્યકર્તા નિર્ણાયક ટીમ અને કાર્યકર્તાઓનો પરિચય થયો જેમાં નિર્ણાયક ટીમમાં વીરજીભાઈ ગોરીયા, ભાવેશભાઈ જેતપરિયા, વિદ્યાલયના આચાર્ય મેહુલભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. દુહા, છંદ, ભજન, લોકગીત, લગ્નગીત, વિદાય ગીત વગેરે પ્રસ્તુતિઓ વાલીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. આ બંને કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અંતે સમાપનમાં વાનગી પ્રતિયોગિતાના નિર્ણાયક ચેતનાબહેન લાલાણી, લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતાના નિર્ણાયક મેહુલ શેઠ, ભાવેશભાઈ જેતપરિયા, શીતલબેન સીતાપરા એ કાર્યક્રમને અનુરૂપ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યાર બાદ નિર્ણાયકો, અતિથિ વિશેષ અને વ્યવસ્થાપકો દ્વારા સ્મૃતિ ચિન્હનો, ભેટ, પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે ઉત્તમ શ્રેણી પ્રાપ્ત કરનારને  પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કર્યા હતા.






Latest News