મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા ચાર દિવસ કાલી પૂજા મહોત્સવનું આયોજન


SHARE















મોરબીમાં સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા ચાર દિવસ કાલી પૂજા મહોત્સવનું આયોજન

મોરબીમાં દરબારગઢ ચોકમા તા.૩૧ ઓક્ટોબરને ગુરૂવારથી ચાર દિવસ સુધી સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા કાલી પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા ૧૯ વર્ષથી જેવી રીતે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સંસ્થાના પ્રમુખ તપનભાઈ સુભાષભાઈ શાસમલ અને તમામ કમીટી મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. અને માં કાલીની દક્ષિણેશ્વરી સ્વરૂપની ભવ્ય મૂર્તિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. તા.૩૧ ને ગુરૂવારના રોજ ડો.જયંતિભાઈ એસ. ભાડેશીયાના હસ્તે રાત્રે ૭:૧૫ થી ૮:૧૫ વાગ્યા દરમ્યાન કાલીપુજા પંડાલનું ઉદધાટન કરશે. ત્યાર બાદ બપોરે આરતીનો સમય રોજ ૧૨:૩૦ થી ૧:૩૦ વાગ્યા સુધી રહેશે. રાત્રે મહાઆરતીનો સમય ૯:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી રહેશે. અને ત્યાર બાદ ખીચડી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. અને વિર્સજન યાત્રા તા.૩/૧૧ ને રવિવાર સાંજે ૫:૦૦ વાગ્યે દરબાર ગઢથી શરૂ થશે.





Latest News