મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ અને યુવા પાંખ દ્વારા સ્નેહ મિલનનું આયોજન


SHARE















મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ અને યુવા પાંખ દ્વારા સ્નેહ મિલનનું આયોજન

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ (યુવા પાંખ) દ્વારા નુતન વર્ષને આવકારવા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી દ્વારા મોરબી શહેર તથા જિલ્લામાં વસતા રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવાર માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન તા ૨/૧૧ ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૧૫ કલાકે કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા સેવા સદન પાછળ ચક્કર રોડ ઉપર આવેલ રેમન પાર્ટી પ્લોટ ખાતે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં સમાજના લોકોને પરિવાર સાથે આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયવંતસિંહ એચ. જાડેજા, જયશ્રીબા એમ. ઝાલા, ઓમદેવસિંહ જાડેજા, રાજવીરસિંહ પી. સરવૈયા તેમજ ધર્મદીપસિંહ એમ. જાડેજા તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ (યુવા પાંખ)ના હોદેદારો અને કાર્યકર્તા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News