મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાની બીજી વરસીએ શાંતિ હવનનું આયોજન
SHARE








મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાની બીજી વરસીએ શાંતિ હવનનું આયોજન
મોરબીમાં ઝુલતાપુલના દુર્ઘટના થઈ હતી તેને બે વર્ષ પૂરા થયેલ છે ત્યારે આ દુર્ઘટનાની બીજી વારસીએ મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરાયું છે.
મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના આત્માની શાંતિ માટે અને ન્યાય માટે તા 30 ઓક્ટોબરને બુધવારના રોજ સવારે 9:30 થી 1:00 સુધી ઝૂલતા પુલ પાસે એલઈ કોલેજ રોડ મહાપ્રભુજીની બેઠક પાસે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાંતિ હવનમાં મોરબીની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા સામાજિક કાર્યકરોએ અપીલ કરી છે.

