મોરબીમાં ફટાકડા બાબતે થયેલ ઝઘડામાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ
મોરબીમાં લોહાણા મહાજન દ્વારા લોહાણા સમાજ માટે સ્નેહમિલનનું યોજાશે
SHARE








મોરબીમાં લોહાણા મહાજન દ્વારા લોહાણા સમાજ માટે સ્નેહમિલનનું યોજાશે
પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજનું સ્નેહ મિલન આગામી તા.૨-૧૧ ને શનીવારના રોજ નુતન વર્ષના દીવસે સવારે ૯:૩૦ થી ૧૨:00 કલાક દરમિયાન શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજાશે. મોરબી લોહાણા સમાજના દરેક લોકોને સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેવા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા અનુરોધ કરાયો છે.

