મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ વૃદ્ધની હત્યાના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર


SHARE















મોરબીમાં થયેલ વૃદ્ધની હત્યાના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

મોરબીના રામક્રષ્ણનગરમાં વૃદ્ધને સળગતી લારીમાં ધકો મારી દીધો હતો જેથી કરીને દાઝી ગયેલ વૃદ્ધનું મોત નીપજયું હતું અને હત્યાનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પકડાયેલા આરોપીના જામીન માટે અરજી કરી હતી જે જામીન અરજીને મંજૂર કરવામાં આએલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ હત્યાના કેસમાં આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપી અનિરુદ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબુભા બહાદુરસિંહ ઝાલા દ્વારા મોરબીના વકીલ ફેનિલભાઈ જે.ઓઝા મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી અને ચકચારી હત્યાના કેસમાં આરોપીના શરતી જામીન સેસન્સ કોર્ટે મંજુર કર્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા તથા ફેનિલભાઈ ઓઝા રોકાયેલ હતા જેની  દલીલો સાંભળીને તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવ  કે. જોષી, શહેનાઝબેન  સુમરા તથા લેખરાજ ગઢવી રોકાયા હતા.






Latest News