મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ વૃદ્ધની હત્યાના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર


SHARE













મોરબીમાં થયેલ વૃદ્ધની હત્યાના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

મોરબીના રામક્રષ્ણનગરમાં વૃદ્ધને સળગતી લારીમાં ધકો મારી દીધો હતો જેથી કરીને દાઝી ગયેલ વૃદ્ધનું મોત નીપજયું હતું અને હત્યાનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પકડાયેલા આરોપીના જામીન માટે અરજી કરી હતી જે જામીન અરજીને મંજૂર કરવામાં આએલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ હત્યાના કેસમાં આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપી અનિરુદ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબુભા બહાદુરસિંહ ઝાલા દ્વારા મોરબીના વકીલ ફેનિલભાઈ જે.ઓઝા મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી અને ચકચારી હત્યાના કેસમાં આરોપીના શરતી જામીન સેસન્સ કોર્ટે મંજુર કર્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા તથા ફેનિલભાઈ ઓઝા રોકાયેલ હતા જેની  દલીલો સાંભળીને તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવ  કે. જોષી, શહેનાઝબેન  સુમરા તથા લેખરાજ ગઢવી રોકાયા હતા.






Latest News