મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૩ વર્ષની પ્રથા મુજબ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાશે


SHARE













મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૩ વર્ષની પ્રથા મુજબ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાશે

મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૩ વર્ષ  દરમિયાન દરવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવે છે.

આ વર્ષે પણ વિશેષ વ્યક્તિઓ દ્વારા કેક કટીંગનુ અનેરુ આયોજન

છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન ઉપસ્થિત રહેલ વિશેષ વ્યક્તિઓ

૧. મનોવિકલાંગ બાળકો
૨. થેલેસેમિયાગ્રસ્ત બાળકો
૩. અંધજનો
૪. ભિક્ષુકો
૫. શહીદ પરિવાર
૬. વૃધ્ધાશ્રમ ના વડીલો
૭. અનાથાશ્રમ ની બાળાઓ
૮. કીન્નરો
૯. મહીલા ટ્રાફીક બ્રિગેડ
૧૦. શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ
૧૧. કોરોનાગ્રસ્ત મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડ ના જવાનો.
૧૨. હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય મહીલાઓ
૧૩. ⁠પી.જી.વી.સી.એલ. ના વાયરમેન

શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજાનાર પંચવિધ કાર્યક્રમો

તાઃ૮-૧૧-૨૦૨૪ શુક્રવાર, કારતક સુદ ૭
સવારે ૬ઃ૩૦ કલાકે-પ્રભાત ધૂન
સવારે ૧૦ઃ૦૦ કલાકે અન્નકુટ દર્શન
સવારે ૧૧ઃ૩૦ કલાકે-વિશેષ વ્યક્તિઓનાં હસ્તે કેક કટીંગ
બપોરે ૧૨ઃ૦૦ કલાકે મહાઆરતી 
બપોરે ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદ.

આ વર્ષે પણ સવારે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે. જે સરપ્રાઈઝ રાખવામા આવેલ છે. દરેક જલારામ ભક્તોને પધારવા તેમજ જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ છે.






Latest News