મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

નાના ધંધાર્થીઓને લોન દેવામાં બેંકોના ઠાગાઠૈયા મુદ્દે રજુઆત કરતું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE













નાના ધંધાર્થીઓને લોન દેવામાં બેંકોના ઠાગાઠૈયા મુદ્દે રજુઆત કરતું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ

નાના ધંધાર્થીઓને લોન દેવામાં બેંકોના દ્રારા ઠાગાઠૈયા કરીને હેરાન કરવામાં આવતા હોય આ મુદ્દે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલ છે.

બેંકોને મોટા ઉદ્યોગપતિઓ કેજે કરોડો રૂપિયાની લોન લઇને દેશ છોડીને ફરાર થઇ જાય કે પૈસા ડુબાડે તેવા ઉદ્યોગપતિઓને લોન દેવામાં વાંધો નથી પરંતુ ગરીબ અને નાના ધંધાર્થીઓ કે જે અર્થતંત્રને મજબુત કરવાનું કામ કરે છે તેને લોન આપતા નથી..! અને જો બેંક દ્રારા નાના ધંધાર્થીઓની લોન મંજુર થાય તો તે પણ પચાસ હજારથી બે-ત્રણ લાખ રૂપિયાની જ લોન મંજુર થાય અને  આપવામાં પણ ઠાગાઠૈયા કરે છે. મોટી લોન લઇને મોટા ઉદ્યોગરતિઓ ભલે દેશ મુકીને ભાગી જાય પણ નાના માણસોને ધંધાની લોન આપવામાં આવતી નથી.આવા નાના વેપારીઓ તેમજ ધંધાર્થીઓની દિવાળી બગડી ગઇ છે.ઓછી રકમની લોન બાબતે સ્થાનિક તપાસ કરવાનો બેંક અધિકારી પાસે સમય નથી.! મોરબી જીલ્લામાં આવા કેટલાક લાભાર્થીઓને લોન આપી નથી અને તે બાબતે મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ આરબીઆઇમાં રજુઆત કરેલ છે.સરકાર લધુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઉધોગ ખાતા તરફથી લાભાર્થીની સંપુર્ણ ચકાસણી કરીને જે તે બેંકને ભલામણ કરે છે.જેથી બેરોજગારીની યાદીમાંથી લાભાર્થીનું નામ નીકળી જાય છે. પરંતુ જાણવા મળેલ છે કે મોરબીની બેંકો આવા નાના ઉદ્યોગ માટે માંગેલી લોનની અરજી લેવામાં આનાકાની કરે છે તેવું લોકમુખે ફરીયાદો પણ ગ્રાહક સુરક્ષા મંડળને મળેલ છે.બેંકને કરોડો રૂપિયાની લોન દેવામાં રસ છે.શા માટે રસ છે તે ભગવાન જાણે પણ જેના કાગળો સાચા છે અને ઉધોગ શાખાએ પ્રમાણિત કરેલ છે અને નાની રકમથી ધંધો કરવો છે એને લોન આપવા માટે બેંકના તપાસ અધિકારીને ફુરસદ નથી..! લાભાર્થીઓ બેંકના ધકકા ખાય છે ધનતેરસના ધંધાના મુર્હુત હતુ તેવા નાના લાભાર્થીઓની બેંકે દિવાળી બગાડી નાખી છે. કરોડોની લોન લેનાર માટે જાણવા મળ્યુ છે કે તેને ઓફીસમાં બેસીને નાસ્તા કરાવે છે અને નાના લાભાર્થીઓને ધકકા ખવડાવે છે..! આ અંગે નાના ધંધાર્થીઓમાંથી કેટલાય લાભાર્થીઓની લોનો મંજુર નથી કરવામાં આવી તેના કારણોની તપાસ કરવાની આરબીઆઇને મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ માંગ કરેલ છે અને નાના વેપારીઓ-ધંધાર્થીઓને બેંક સરકારની ઇચ્છા અનુસાર "મેક ઇન ઇન્ડીયા" ને સફળ બનાવવા અસરકારક પગલા લે તેવી માંગ કરેલ છે.






Latest News