મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ધારાસભ્ય દ્વારા શનિવારે અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દ્વારા આજે સ્નેહ મિલનનું આયોજન 


SHARE











મોરબી-માળીયાના ધારાસભ્ય દ્વારા શનિવારે અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દ્વારા આજે સ્નેહ મિલનનું આયોજન 

નવા વર્ષની શરૂઆત થઈ ગયેલ છે ત્યારે ભાજપ દ્વારા દર વર્ષે સ્નેહ મિલનનું વિધાનસભા વાઇઝ આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી-માળીયાના ધારાસભ્ય દ્વારા શનિવારે તેમજ ટંકારા-પડધરીના ધારાસભ્ય દ્વારા આજે મંગળવારે સાંજે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાન ઉમા ટાઉનશિપ ખાતે વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે નૂતન વર્ષ નિમિતે સ્નેહમીલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 16/11 ને શનિવારના રોજ સાંજે 5:00 કલાકે ઉમા ટાઉનશીપ મોરબી ખાતે આ સ્નેહ મિલન યોજાશે જેમાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, ભરતભાઈ બોઘરા, સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, સાંસદ પૂનમબેન માડમ, ચંદુભાઈ શિહોરા અને કેસરીદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, કૃભકો ડાયરેક્ટર મગનભાઈ વડાવીયા, પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ ઉર્વશીબેન પંડ્યા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, કમળાબેન ચાવડા સહિતના હાજર રહેશે.

આજે સાંજે ટંકારા-પડધરીના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન  

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા-પડધરી વિધાનસભાના કાર્યકર્તાઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તા 12 ને મંગળવારના રોજ સાંજે 4:00 કલાકે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ મોરબી રાજકોટ હાઈવે વિરપર ખાતે આ સ્નેહ મિલન રખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને કેશરીદેવસિંહ ઝાલા, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, કૃભકોના ડિરેક્ટર મગનભાઈ વડાવીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી, પ્રવિણાબેન રંગાણી, હિતેષભાઈ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહેશે.






Latest News