મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના બગીચાઓમા રમત ગમતના સાધનો-બાકડા મૂકવા કોંગ્રેસની પાલિકામાં રજુઆત


SHARE













મોરબીના બગીચાઓમા રમત ગમતના સાધનો-બાકડા મૂકવા કોંગ્રેસની પાલિકામાં રજુઆત

મોરબી એ ગ્રેડની પાલિકા છે તો પણ આજની તારીખે એક પણ સારો બગીચો મોરબીમાં રહ્યો નથી અને લોકોને હરવા ફરવા કે બેસવા માટેની કોઈ જગ્યા રહી નથી ત્યારે જે વર્ષો જૂના બાગ બગીચા છે ત્યારે બાંકડા મૂકવામાં આવેલ નથી. જેથી મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી દ્વારા સરદારબાગ, સુરજબાગ તેમજ મહાત્મા ગાંધી બાગમાં બાકડા અને બાળકો માટે રમત ગમતના સાધનો મુકવામાં આવે તેવી ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે.

હાલમાં કોંગ્રેસનાં મંત્રી સૂરપાલસિંહ જાડેજાએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીમાં એક સમયે સરદારબાગ, સુરજબાગ તેમજ મહાત્મા ગાંધી બાગ લોકો માટે આનંદ પ્રમોદ માટેના ઉત્તમ સ્થાન હતા જો કે, હાલમાં તેની સ્થિતિ અતિદયનીય છે આ ત્રણેય બગીચામાં આજની તારીખે લોકોને બેસવા માટેના બાકડા તેમજ બાળકોને રમવા માટેનો કોઈ સાધનો નથી અને વર્ષો પહેલા જે મૂકવામાં આવેલ હતા તે હીંચકા સહિતના સાધનો તૂટી ગયેલ છે અને બાળકોને નુકશાન કરે તેવી સ્થિતિમાં છે તો પણ તેને રીપેર કરવા માટેની દરકાર કયારે પણ પાલિકાએ લીધેલ નથી જેથી કરીને આ ત્રણેય બગીચામાં હીંચકા સહિતના સાધનો અને લોકોને બેસવા માટેના બાકડા મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો કે, બાગ બગીચાની કાયાપલટ કયારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.




Latest News