વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

ટંકારાનાં વીરપર પાસે અકસ્માત નિવારવા આગેવાને કરી સીએમને રજૂઆત


SHARE











ટંકારાનાં વીરપર પાસે અકસ્માત નિવારવા આગેવાને કરી સીએમને રજૂઆત

મોરબી ટંકારા રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે હરીપાર્ક સોસાયટી નજીક અવાર નવાર અકસ્માત થાય છે જેથી કરીને આ અકસ્માતો નિવારવા માટે ત્યાં રહેતા આગેવાને હાલમાં સીએમને કેટલાક સૂચનો સાથેની રજૂઆત કરેલ છે

ટંકારાના વીરપર ગામ પાસે આવેલ હરીપાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, હરીપાર્ક સોસાયટી પાસે અવાર નવાર અકસ્માત થાય છે. આ અકસ્માતો નિવારવા માટે મોરબી-રાજકોટ હાઈવે પર મોરબીથી ટંકારા સુધી રોડની બન્ને બાજુ સર્વિસ રોડ બને, હરી પાર્ક સોસાયટીની સામે ઈજનેર દ્વારા ટેક્નિકલ પાસાઓનો અભ્યાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, રોડ પર જરૂરી રેડિયમના સાઈન બોર્ડ મૂકવામાં આવે, રાત્રિના સમયે ડિવાયડર ઉપર સોલાર લાઈટ મૂકવામાં આવે, હરી પાર્ક સોસાયટી સામે રમ્બલના સ્ટ્રીપ નાખવામાં આવે તે જરૂરી છે કેમ કે, ત્યાં રહેતા લોકોની સાથોસાથ બાજુમાં જ દેરાસર આવેલ છે જેથી ત્યાં દર્શના કરવા માટે ઘણા લોકો આવે છે તેની સલામતીને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News