મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

ટંકારાનાં વીરપર પાસે અકસ્માત નિવારવા આગેવાને કરી સીએમને રજૂઆત


SHARE







ટંકારાનાં વીરપર પાસે અકસ્માત નિવારવા આગેવાને કરી સીએમને રજૂઆત

મોરબી ટંકારા રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે હરીપાર્ક સોસાયટી નજીક અવાર નવાર અકસ્માત થાય છે જેથી કરીને આ અકસ્માતો નિવારવા માટે ત્યાં રહેતા આગેવાને હાલમાં સીએમને કેટલાક સૂચનો સાથેની રજૂઆત કરેલ છે

ટંકારાના વીરપર ગામ પાસે આવેલ હરીપાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, હરીપાર્ક સોસાયટી પાસે અવાર નવાર અકસ્માત થાય છે. આ અકસ્માતો નિવારવા માટે મોરબી-રાજકોટ હાઈવે પર મોરબીથી ટંકારા સુધી રોડની બન્ને બાજુ સર્વિસ રોડ બને, હરી પાર્ક સોસાયટીની સામે ઈજનેર દ્વારા ટેક્નિકલ પાસાઓનો અભ્યાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, રોડ પર જરૂરી રેડિયમના સાઈન બોર્ડ મૂકવામાં આવે, રાત્રિના સમયે ડિવાયડર ઉપર સોલાર લાઈટ મૂકવામાં આવે, હરી પાર્ક સોસાયટી સામે રમ્બલના સ્ટ્રીપ નાખવામાં આવે તે જરૂરી છે કેમ કે, ત્યાં રહેતા લોકોની સાથોસાથ બાજુમાં જ દેરાસર આવેલ છે જેથી ત્યાં દર્શના કરવા માટે ઘણા લોકો આવે છે તેની સલામતીને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News