જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

ટંકારાનાં વીરપર પાસે અકસ્માત નિવારવા આગેવાને કરી સીએમને રજૂઆત


SHARE













ટંકારાનાં વીરપર પાસે અકસ્માત નિવારવા આગેવાને કરી સીએમને રજૂઆત

મોરબી ટંકારા રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે હરીપાર્ક સોસાયટી નજીક અવાર નવાર અકસ્માત થાય છે જેથી કરીને આ અકસ્માતો નિવારવા માટે ત્યાં રહેતા આગેવાને હાલમાં સીએમને કેટલાક સૂચનો સાથેની રજૂઆત કરેલ છે

ટંકારાના વીરપર ગામ પાસે આવેલ હરીપાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, હરીપાર્ક સોસાયટી પાસે અવાર નવાર અકસ્માત થાય છે. આ અકસ્માતો નિવારવા માટે મોરબી-રાજકોટ હાઈવે પર મોરબીથી ટંકારા સુધી રોડની બન્ને બાજુ સર્વિસ રોડ બને, હરી પાર્ક સોસાયટીની સામે ઈજનેર દ્વારા ટેક્નિકલ પાસાઓનો અભ્યાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, રોડ પર જરૂરી રેડિયમના સાઈન બોર્ડ મૂકવામાં આવે, રાત્રિના સમયે ડિવાયડર ઉપર સોલાર લાઈટ મૂકવામાં આવે, હરી પાર્ક સોસાયટી સામે રમ્બલના સ્ટ્રીપ નાખવામાં આવે તે જરૂરી છે કેમ કે, ત્યાં રહેતા લોકોની સાથોસાથ બાજુમાં જ દેરાસર આવેલ છે જેથી ત્યાં દર્શના કરવા માટે ઘણા લોકો આવે છે તેની સલામતીને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News