સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી


SHARE



























મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી

ચારેય વેદોનું ગુજરાતીમાં અનુવાદ કરનાર જાણીતા આયુર્વેદ નિષ્ણાત અને ટંકારાના વતની એવા પદ્મશ્રી દયાળજી પરમાર (દયાળ મુનિ)નું અવસાન થયું છે. ત્યારે ગુજરાત સરકારના માજી મંત્રી અને મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ દયાળમુનિને ભાવાંજલિ અર્પણ કરી હતી.

દયાળ મુનિના નિધન અન્વયે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, જીવતે જીવ તેઓ સાથે અનેક વખત મળવાનો અને સંવાદ કરવાનો લાભ મળ્યો છે. તે જિંદગીનું એક યાદગાર સંભારણું બની રહેશે. ટંકારાની પવિત્ર માટીની મહેક એવા મહામાનવ પદ્મશ્રી દયાળ મુનિ દેવલોક પામ્યાના સમાચાર જાણીને મેં ભારે મોટો ખાલીપો અનુભવ્યો છે. દયાળ મુનિ આયુર્વેદના નિષ્ણાત હતા તેમજ ભારતના પ્રાચીન ગ્રંથો જેવા કે સામવેદ, અજુર્વેદ, ઋગ્વેદ અને અર્થરવેદનો અનુવાદ માતૃભાષા ગુજરાતીમાં કરીને એક કિંમતી ભેટ આપી ચુક્યા છે. ભારત સરકારે તાજેતરમાં તેમને પદ્મશ્રીથી વિભૂષિત કર્યા હતા. વધુમાં બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું કે, મેં ઋષિમુનિ સદેહે જોયા નથી પરંતુ સફેદ વસ્ત્રમાં દયાળ મુનિ આચાર વિચાર અને જીવનશૈલીમાં ઋષિ જોવા મળ્યા, આ પરંપરાને આજીવન તેઓ વળગી રહ્યા. આવા મહા માનવની ધરતી ઉપરની ખોટ અવશ્ય ગુર્જર ગીરાને સાલશે.


















Latest News