મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે જીરા-અજમાના ઊભા પાકમાં માલધારીએ તેના 54 ઢોર ચરવા મૂકી દીધા: વાડી મલીકને 95 હજારનું નુકશાન


SHARE













વાંકાનેરના તીથવા ગામે જીરા-અજમાના ઊભા પાકમાં માલધારીએ તેના 54 ઢોર ચરવા મૂકી દીધા: વાડી મલીકને 95 હજારનું નુકશાન

વાંકાનેરના તીથવા ગામની સીમમાં યુવાનની વાડીમાં માલધારીએ 51 ગાય અને 3 પાડીને લઈ જઈને જીરા તથા અજમાના વાવેતરમાં ચરાવી દીધી હતી અને ઊભા પાકને નુકસાન કર્યું હતું તેમજ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વાડીમાં 95 હજાર રૂપિયાની નુકસાની કરી હોવાની યુવાને હાલમાં માલધારી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા અહેમદરજાભાઇ હુશેનભાઇ શેરસીયા (42)એ હાલમાં રતાભાઇ શંકરભાઈ ભરવાડ રહે. તીથવા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તીથવા ગામની સોનિયા નામની ઓળખાતી સીમમાં તેઓની વાડી આવેલ છે અને તેઓની વાડી તથા સાહેની વાડીમાં આરોપીએ પોતાની 51 ગાયો તથા 3 પાડીને લઈ જઈને ત્યાં જીરા તથા અજમાના વાવેતરમાં ચરાવી હતી અને બંને વાડીમાં ઉભા પાકમાં 95 હજાર રૂપિયાનું નુકસાન કર્યું છે આટલું જ નહીં પરંતુ ફરિયાદી તથા સાહેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે માલધારી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા મંજુબેન મહેશભાઈ સંગોડ (25) નામના મહિલાને વાડી વિસ્તારમાં ડકાયા કૂતરાએ બચકું ભરી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News