મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ મોરબીમાં મિત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાનને પડખા અને હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંક્યા
Breaking news
Morbi Today

સરકાર દ્વારા પ્રિ-સ્કુલ માટે બનાવાયેલ નવા નિયમોનો મોરબીમાં પ્રિ-સ્કુલના સંચાલકો દ્વારા વિરોધ


SHARE









સરકાર દ્વારા પ્રિસ્કુલ માટે બનાવાયેલ નવા નિયમોનો મોરબીમાં પ્રિસ્કુલના સંચાલકો દ્વારા વિરોધ

રાજ્ય સરકાર દ્વારા પ્રિ સ્કૂલના સંચાલકો માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે જેના વિરોધમાં આજે મોરબીની જુદી જુદી 60 જેટલી પ્રિસ્કુલ ના સંચાલકો દ્વારા કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું છે અને સરકાર દ્વારા જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર અપાયું છે. અને ભાડા કરાર માટેનો સમયગાળો ઘટાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર શૈક્ષણિક સંસ્થાઓના બિલ્ડીંગ ઊભા કરવામાં આવ્યા છે પરંતુ તેમાં કેટલીક જગ્યાએ સરકારના નીતિ નિયમો નો ઉલાળીયો થતો હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે જોકે રાજ્ય સરકાર દ્વારા પ્રિ સ્કૂલ માટેના નવા નિયમો બનાવવામાં આવ્યા છે અને તે નવા નિયમોના વિરોધમાં આજે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં આવેલ કલેક્ટર કચેરી ખાતે જઈને મોરબીની જુદી-જુદી 60 જેટલી પ્રિ સ્કુલના સંચાલકો અને પ્રિન્સિપાલો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

પ્રિસ્કુલના સંચાલક કાજલબેન ઠક્કરે જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં બીયુ સર્ટિફિકેટ, ભાડા કરાર સહિતના જે નિયમો બનાવવામાં આવ્યા છે તેની અમલવારી થઈ શકે તેમ નથી તેવી હાલમાં રજૂઆત કરવામાં આવી છે અને જો સરકાર દ્વારા નવા નિયમોની અમલવારી કરાવવામાં આવશે તો મોટાભાગની પ્રિ સ્કુલો બંધ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી રજૂઆત કરવામાં આવેલ છે

આવી જ રીતે પ્રિસ્કુલના સંચાલક યાપલબેન પટેલે જણાવ્યું હતું કે અમે સરકારની સાથે જ સરકાર પણ અમારી મુશ્કેલી સમજે કે, બીયુ પરમિશન મળે તેવી કોઈ શક્યતા જ નથી અને ભાડા કરાર માટે જે 15 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે તેના બદલે બેથી ત્રણ વર્ષ જો નિયમ કરી આપવામાં આવે તો પ્રિ સ્કુલો ચાલુ રહી શકે તેમ છે નહીં તો જુદી જુદી પ્રિ સ્કૂલના લગભગ 600 જેટલા સ્ટાફ અને ત્યાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને આગામી સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.






Latest News