વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર મોરબીના જાંબુડિયા પાસે ઝૂંપડાંમાંથી દારૂની 23 બોટલ ઝપડાઈ, આરોપીની શોધખોળ: નવાગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ પકડાયા મોરબી નજીક હોટલ પાસે જીવલેણ હુમલાના બનાવમાં સામાપક્ષેથી શાહરૂખે પણ ફાયરિંગ કર્યું હોવાનો ધડાકો મોરબી: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનની છરીના ઘા ઝીંકીને કરી હત્યા, 2 સામે ફરિયાદ ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે 46.90 લાખની ઠગાઈના ગુનામાં મોરબીની આંગડિયા પેઢીનો માલિક પકડાયો મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ-આરાધનાનો કાર્યક્રમ યોજાયો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબિટીસ-બીપી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકાયું
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું


SHARE













મોરબીમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી રાજકીય અસ્થિરતા વચ્ચે ત્યાંના હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અને ત્યાં હિંદુ મંદિરો પર સતત હુમલાઓ કરીને મુર્તીઓ તોડવામાં આવી રહી છે. હિંદુઓની બહેન દિકરીઓ સુરક્ષિત નથી તથા સાથોસાથ હિંદુઓના ધંધા વ્યવસાયના સ્થાનોને પણ ઈરાદાપૂર્વક ટાર્ગેટ કરી લુંટવામાં આવી રહ્યા છે અને ત્યાંની સરકાર મૂકપ્રેક્ષક બનીને તમાશાને સમર્થન આપી રહી છે અને ત્યાં વિવિધ હિંદુ સંતો પર પણ ખોટા કેસ કરી હિંદુ સંગઠનોને પ્રતિબંધિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં હિંદુ અસ્મિતા મંચ મોરબીના બેનર હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા  સહિતના હિન્દુ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. અને બાંગ્લાદેશના તમામ બનાવને વખોડી કાઢીને હિંદુ ભાઈ-બહેનોની સલામતી માટે ચોક્કસ પગલા ભરવાની માંગ કરી હતી. અને મોરબીમાં હિંદુ સમાજ અને હિંદુ અસ્મિતા મંચના બેનર હેઠળ કલેકટરને આવેદન પત્ર આપીને બાંગ્લાદેશના હિંદુઓના સમર્થનમાં રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં પ્રત્યેક જ્ઞાતિસમાજ અને સંગઠનના હિંદુ ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ કલેકટર કચેરીના પ્રાંગણમા રામ ધૂન બોલાવી હતી. અને હિન્દુઓ ઉપર થતાં અત્યાચાર અને મહિલાઓની અસલામતી બાબતે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે બાંગ્લાદેશની સાંપ્રત પરિસ્થિતિ વચ્ચે હિન્દુઓની રક્ષા, સલામતી, મહિલાઓને રક્ષણ તેમજ આનુષંગિક બાબતે રજૂઆત સાથે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીને આવેદન આપ્યું હતું.






Latest News