મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજમાં એઇડ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો


SHARE













મોરબીની નવયુગ કોલેજમાં એઇડ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે કોલેજનાં વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા માટે મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સેમિનારમાં ઇન્ડિયન મેડિકલ એસો.ના મોરબીના ડો. હીનાબેન મોરી અને ડો. જયેશભાઈ સનારિયાએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ખાસ કરીને એઇડ્સ રોગને અટકાવવા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમ કે એઇડ્સ શું છે? HIV/AIDS કઈ રીતે ફેલાય છે ? તેની સમજૂતી, HIV/AIDS નાં લક્ષણો, HIV/AIDS થી બચવાના ઉપાયો અને તેની સારવારની સમજૂતી, એઇડ્સ કેવી રીતે ફેલાય નહી? એઇડ્સ એ પ્રાણ ઘાતક નથી, કારણ કે એઇડ્સની દવાઓ(ART) થી વાયરસ વધતા અટકાવી શકાય છે. પરંતુ મટાડી શકાતો નથી જેવા મુદ્દા પર વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા લોકોમાં જાગૃતિ માટે એઇડ્સનો સિમ્બોલ બનાવવામાં આવ્યો હતો. અને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. અને સેમિનારમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા અને દરેક કોલેજના પ્રિન્સિપાલ તેમજ વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા.






Latest News