ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે ગૌશાળામાં પહેલા માળેથી નિચે પડી જતાં બાળક રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના ગાળા ગામે ગૌશાળામાં પહેલા માળેથી નિચે પડી જતાં બાળક રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના ગાળા ગામે આવેલી ગૌશાળામાં પહેલા માળેથી આઠેક વર્ષનો રબારી બાળક નીચે પટકાયો હતો જેથી કરીને તેને મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જોકે ગંભીર ઈજાઓને પગલે તેને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાળા ગામે આવેલ ગૌશાળામાં પહેલા માળેથી ખેતાભાઇ વધુભાઈ રબારી નામનો આઠ વર્ષનો બાળક નીચે પટકાયો હતો જેથી કરીને માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં ખેતાભાઇ રબારી નામના આઠ વર્ષના બાળકને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ ઇજા જણાતાં હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતો માવજીભાઈ લક્ષ્મણભાઈ ચાવડા નામનો ૪૩ વર્ષીય યુવાન ગાળા ગામ નજીક કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેને પગલે તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરી છે.જ્યારે મોરબીના ઘૂંટુ ગામે ગોવિંદભાઈની વાડીએ રહેતા ભુરાભાઈ મકનભાઈ આદિવાસી નામના ૨૨ વર્ષીય યુવાનને મોરબીની પંચાસર ચોકડીએ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ભુરાભાઈ આદિવાસીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લવાયો હતો.

બે રિક્ષા અથડાતા બેને ઈજા

મોરબીના પાડાપુલ નજીક આવેલા શંકર આશ્રમ નજીક બે રિક્ષા સામસામે અથડાઇ હતી જે બનાવમાં લાલજી દેવરાજભાઇ હણ જાતે રબારી (ઉમર ૩૦) રહે.રબારી વાસ શેરી-૧ જેલ રોડ મોરબીને તેમજ મોરબીના સામાકાંઠે આવેલ શકિત સોસાયટીમાં રહેતા માણેકબેન જેરામભાઈ વામજા નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને ઇજાઓ થતા તેમને સારવારમાં અનુક્રમે આયુષ હોસ્પિટલ અને હેમલ પટેલની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

યુવતી સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી આરતીબેન પ્રશાંતભાઈ અગેચાણીયા જાતે કોળી નામની ૨૨ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર તેના પોતાના ડાબા હાથે જાતે બ્લેડ વડે છરકા કરતા તેણીને સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી અને આ બનાવની જાણ થતાં સીટી એ ડિવિજન પોલીસ મથકના હમીરભાઇ ગોહીલ તપાસમાં જતા યુવતી રજા લીધા વગર જ હોસ્પિટલેથી જતી રહી હોવાનું જાણવા મળે છે..!






Latest News