મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેલડી માતાજીનો નવરંગ માંડવો


SHARE











મોરબી પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેલડી માતાજીનો નવરંગ માંડવો

મોરબીના સામાકાંઠે આવેલા પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ગૌશાળા મેલડી માતાજીના મંદિર ખાતે જય શ્રી ગૌશાળા મેલડી માતાજીનો હરખનો માંડવો યોજવામાં આવેલ છે. તા.૭ ના રોજ સાંજે મહાપ્રસાદ રાતે ડાક ડમરનો કાર્યક્રમ પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ગૌશાળા વાળી મેલડી માતાજી મંદિર ખાતે યોજાશે.

આયોજકોના જણાવ્યા પ્રમાણે આગામી તારીખ ૭ ને શનિવારના રોજ માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે થાંભલી રોપણ બાદ ભૂવાઓના સામૈયા અને સાંજે છ વાગ્યે મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ રાત્રિના ૯:૩૯ કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેમાં હકુભાઈ માલણીયાત, સાગરભાઇ માલણીયાત, કિશનભાઇ માલણીયાત તથા વિશાલભાઈ માલણીયાત ડાક ડમરની રમઝટ બોલાવશે.સર્વે શ્રદ્ધાળુઓને મંદિરના પૂજારી પ્રભુભાઈ મજેઠીયા તેમજ સેવક ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.




Latest News