મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેલડી માતાજીનો નવરંગ માંડવો


SHARE













મોરબી પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેલડી માતાજીનો નવરંગ માંડવો

મોરબીના સામાકાંઠે આવેલા પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ગૌશાળા મેલડી માતાજીના મંદિર ખાતે જય શ્રી ગૌશાળા મેલડી માતાજીનો હરખનો માંડવો યોજવામાં આવેલ છે. તા.૭ ના રોજ સાંજે મહાપ્રસાદ રાતે ડાક ડમરનો કાર્યક્રમ પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ગૌશાળા વાળી મેલડી માતાજી મંદિર ખાતે યોજાશે.

આયોજકોના જણાવ્યા પ્રમાણે આગામી તારીખ ૭ ને શનિવારના રોજ માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે થાંભલી રોપણ બાદ ભૂવાઓના સામૈયા અને સાંજે છ વાગ્યે મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ રાત્રિના ૯:૩૯ કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેમાં હકુભાઈ માલણીયાત, સાગરભાઇ માલણીયાત, કિશનભાઇ માલણીયાત તથા વિશાલભાઈ માલણીયાત ડાક ડમરની રમઝટ બોલાવશે.સર્વે શ્રદ્ધાળુઓને મંદિરના પૂજારી પ્રભુભાઈ મજેઠીયા તેમજ સેવક ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News