મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના વિદ્યુત સ્મશાનના ઓફિસ બિલ્ડીંગ માટે સ્વ. ઉદયસિંહજી જાડેજાના પરિવાર તરફથી 25 લાખનું દાન


SHARE













મોરબીના વિદ્યુત સ્મશાનના ઓફિસ બિલ્ડીંગ માટે સ્વ. ઉદયસિંહજી જાડેજાના પરિવાર તરફથી 25 લાખનું દાન

મોરબીના લીલાપર રોડે આવેલ વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે મહેતા પરિવાર દ્વારા સ્વર્ગસ્થ પિતાજીના સ્મરણાર્થે સબ વાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના જયદીપ ગ્રૂપ દ્વારા મોરબીના વિદ્યુત સ્મશાનમાં ઓફિસ બિલ્ડીંગ માટે સ્વ. ઉદયસિંહજી જાડેજાના સ્મરણાર્થે જાડેજા પરિવાર તરફથી 25 લાખનું દાન આપવામાં આવ્યું છે.

મોરબીના લીલાપર રોડે વિદ્યુત સ્મશાન આવેલ છે ત્યાં અંતિમ યાત્રા રથ એટ્લે કે સબ વાહિનીનું લોકાર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને સ્વ. ડાયાલાલ સુંદરજીભાઈ મહેતાના પરિવાર દ્વારા કમળાબેન ડાયાલાલ સુંદરજી મહેતા અને દિનેશભાઈ હસમુખભાઈ મહેતા સહિતના પરિવારજનો દ્વારા લીલાપર સ્મશાન ગૃહને સબ વાહિની અર્પણ કરવામાં આવી હતી. આ તકે સારંગપુર હનુમાનજી મંદિરના સંત ડી.કે. સ્વામી અને તે ઉપરાંત મોરબીના પાટીદાર સમાજના આગેવાન બેચારભાઈ હોથી તેમજ મોરબી ક્ષત્રિય સમાજના આગેવાન દિલુભાઈ જાડેજા સહિતના હાજર રહ્યા હતા ત્યારે આ વિદ્યુત સ્મશાનની ઓફિસના બિલ્ડિંગ માટે સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા વવાણીયા વાળના સ્મરણાર્થે દિલુભા ઉદયસિંહજી જાડેજા (જયદીપ ગ્રૂપ) વાળા તરફથી 25,11,111 નું દાન આપવાની જાહેરાત કરવામા આવી હતી જેથી કરીને સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું






Latest News