ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના ચમનપરમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપ્યુ


SHARE







મોરબીના ચમનપરમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપ્યુ

મોરબીના ચમનપર ગામે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ચમનપર નિવાસી જગદીશભાઇ ચારોલાની દીકરી મિસ્ટીના જન્મદિવસ પ્રસંગે ઉપસ્થિત રહી દીકરીઓના જન્મને વધાવી હતી.આ તકે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, ચમનપર મોરબી જિલ્લાનું એક આદર્શ ગામ છે જ્યાં આજદિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ નથી. ઉપરાંત આ ગામનું પુસ્તકાલય અનેક યુવક-યુવતીઓ અને વાંચન રસીકોને પ્રોત્સાહન પુરુ પાડી રહ્યું છે.વધુમાં મંત્રીએ એમ પણ ઉમેર્યું કે, દીકરીઓને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે નાનામાં નાના દીકરી જન્મ દિવસ જેવા પ્રસંગે પણ હાજરી આપી છે. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગામમાં આવેલ હનુમાનજી મંદિરે દર્શન કરી અને ગામના દિકરા તરીકે વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા.આ ઉપરાંત ખેવરીયા ગામના અગ્રણી નારણભાઈ રબારીની સાથે મેલડી માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.






Latest News