મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના માનસર નજીક મચ્છુ નદીમાંથી રેતીચોરીની સરપંચે કરી ખાણખનીજ વિભાગમાં લેખિત રજૂઆત


SHARE













મોરબીના માનસર નજીક મચ્છુ નદીમાંથી રેતીચોરીની સરપંચે કરી ખાણખનીજ વિભાગમાં લેખિત રજૂઆત

મોરબીના માનસર ગામે મચ્છુ નદીમાંથી બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવે છે અને ખનીજ માફિયાઓ નારણકા ગામ તરફથી રેતી ચોરી કરી રહ્યા છે તેવી માનસર ગામના સરપંચ દ્વારા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

હાલમાં માનસર ગામના સરપંચ જિતેન્દ્રભાઈ પી. ઠોરીયા દ્વારા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, માનસર ગામ પાસેથી મચ્છુ નદીમાં પાસસાર થાય છે તે નદીમાંથી ગામના લોકોને પોતાની ખેતીની જમીનમાં પિયત માટે પાણી મળે છે આ મચ્છુ નદીમાંથી રેતી ચોરી કરવામાં આવે છે જેથી કરીને નદીનું તળ નીચું જવાના કારણે પાણીમાં ખારાશ આવી રહી છે અને નદીનું પાણી ખેડુતો સિંચાઈ માટે ઉપયોગ કરી શક્તા નથી અને જો પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરે તો ખેડુતોની જમીનને નુકશાન થાય છે.

હાલમાં જે શખ્સો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે તે ખનીજ માફીયાઓ દ્વારા મચ્છુ નદીને નુકશાન કરવામાં આવે છે તેમજ સરકાર કરોડો રૂપિયાનું નુકશાન કરી રહ્યા છે તેમજ નદીનું પાણી ખારાશ વાળું થઈ જવાથી ખેડૂતોને પણ નુકશાન કરી રહ્યા છે. હાલમાં મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયેલ છે અને ખનીજ માફીયાઓ બેફામ બનેલ છે ત્યારે તાત્કાલીક ધોરણે મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમ પાસેથી જે રેતીની ચોરી કરવામાં આવી રહી છે તે ખનીજ ચોરી રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News