મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે સાંસદ મોહનભાઇએ ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કર્યુ


SHARE













મોરબીના લાલપર ગામે સાંસદ મોહનભાઇએ ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કર્યુ

મોરબી તાલુકાના લાલપર ગામે સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કરાયું હતુ.

મોરબીના લાલપર ગામે સાસંદ સભ્ય મોહનભાઇની ગ્રાન્ટમાંથી રૂા.પાંચ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ પુર્ણ થતા સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે લોકાર્પણ કરાયું તથા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પુ્ષ્પમાળા પહેરાવી કરવામા આવ્યુ હતુ આ તકે સાસંદ મોહનભાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા બંધારણના ધડવૈયા બાબાસાહેબની સ્મૃર્તિ માટે ભારતમાં જુદીજુદી જગ્યાઓને પંચતિર્થ તરીકે વિકસાવવામાં આવશે તથા ડો.બાબાસાહેબ આંબેડકરના જીવનમાંથી બોધ લઇ તેમના સિધ્ધાંતોને આપણા જીવનમાં ઉતારીએ એવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં હીરાભાઇ ટમારીયા ચેરમેન આરોગ્ય સમિતિ જીલ્લા પંચાયત તથા અરવિંદભાઇ વાસદડીયા પ્રમુખ મોરબી તાલુકા ભાજપ,.જેઠાભાઇ પારેધી, નિલેશ જેતપરીયા પ્રમુખ સિરામિક એશોસિયન, કાનજીભાઇ ચાવડા, વિક્રમસિંહ ઝાલા, હંસાબેન ગોરધનભાઇ સોલંકી ચેરમેન તા.પંચાયત, ગોપાલભાઇ સોલંકી, સરપંચ શારદાબેન રમેશભાઇ વાંસદડીયા, લાલજીભાઇ સોલંકી  સહિતના મહાનુભાવો જોડાયા હતા.કાર્યક્રમનુ સંચાલન કનુભાઇ ચૌહાણે કર્યુ તથા કાર્યક્રમના આયોજક ડુંગર ભગત, સંજય સોલંકીની ટીમ દ્વારા તમામ મહેમાનોનો આભાર માનવામા આવ્યો હતો.






Latest News