મોરબીમાં લીલાપર રોડનો વિકાસ-બ્યુટીફીકેશન માટે 13.31 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ મોરબીમાં કેમ મનપા વેપારીઓ પાસેથી મંડપનો ચાર્જ રાજકોટ કરતાં પણ વધુ ઉઘરાવે છે: શહેર કોંગ્રેસ પ્રમુખનો સવાલ મોરબીમાં ઉધારમાં ટાઇલ્સનો માલ લઈને આપવામાં આવેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ તલાટી મંત્રી અને રેવન્યુ રેકર્ડ ઉપર જન્મી ગયેલ દીકરીના દીકરાના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મનપાની ફાયર શાખા દ્વારા લોકોને ફાયર પ્રિવેન્શન તાલીમ અપાઈ મોરબી જીલ્લામાં દરરોજનો 25,000 લિટર જેટલો દેશી દારૂ વેચાઈ પણ સ્થાનિક પોલીસને મળે માત્ર બે કે પાંચ લીટરના કેસ!: જિલ્લા કોંગ્રેસ મોરબીમાં વ્યાજખોરી, રોમિયોગીરી, લૂખ્ખગીરીના ભોગ બનેલા 10 જેટલા પરિવારોએ પાટીદાર યુવા સેવા સંઘની આગેવાનીમાં કરી DYSP ને રજૂઆત મોરબીના ઘૂટું રોડે અંદાજે 25 થી વધુ દુકાનો-ઓરડીઓને જેસીબીથી મનપાની ટીમે તોડી પડી
Breaking news
Morbi Today

માળીયા (મિ) તાલુકાના ખેડૂતો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE













માળીયા (મિ) તાલુકાના ખેડૂતો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

માળીયા (મિ) તાલુકાના ખેડૂતો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાત્મા ગાંધી મનરેગા યોજના અને અન્ય ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ વિશે સરળ ભાષામાં જાણકારી આપવામાં આવી હતી 

માળિયા (મિયાણા) તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માળિયા (મિયાણા) તાલુકા પંચાયતના મિટિંગ હોલમાં માહિતીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ચેરમેન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારી જે. એસ.પ્રજાપતિએ ખેડૂતોને મળતા વિવિધ યોજનાકીય લાભો વિશે ઊંડી સમજ આપી હતી. તેમજ મનરેગા યોજનાના ડી.ડી.પી.સી. છૈયાભાઈ તેમજ તાલુકાના મનરેગા યોજનાના એ.પી.ઓ. દ્વારા મનરેગા યોજના અંતર્ગત ખેડૂતોના મળવાપાત્ર વ્યક્તિગત લાભ વિશે પી.પી.ટી. દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વ્યક્તિગત ખેત તલાવડી બનાવવી, વ્યક્તિગત ચેકડેમો બનાવવા, જમીન લેવલિંગના કામો, શોકપીટના કામો, કંપોષ્ટ પીટના કામો, કુવા રિચાર્જ કરવાના કામો, નવા સામુહિક કૂવાના કામો જેવા વિવિધ વ્યક્તિગત અને સામુહિક કામો અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સેમિનારમાં ભાગ લેવા અંગે સહયોગ આપવામાં આવ્યો હતો. તેમજ સિંચાઈ વિભાગ દ્વારા કુવા અને બોર રિચાર્જ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં બહોળા પ્રમાણમાં ખેડૂતો ઉપલબ્ધ રહીને માહિતી મેળવી હતી અને સેમિનારને સફળ બનાવ્યો હતો.






Latest News