મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વિમેદારની વીમા રકમ મંજૂર કરવામાં ઠાગાઠૈયા કરતી વીમા કંપનીને વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ


SHARE













મોરબીમાં વિમેદારની વીમા રકમ મંજૂર કરવામાં ઠાગાઠૈયા કરતી વીમા કંપનીને વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી જેતપર (મચ્છુ) ના વતની રામજીભાઈ ત્રિભોવનભાઈ અઘારાના ધર્મપત્નિ નિર્મળાબેન અઘારાને રૂપીયા ૧૦,૦૦,૦૦૦ તેમજ રૂા. ૫,૦૦૦ અન્ય ખર્ચના મળી કુલ રૂપીયા ૧૦,૦૫,૦૦૦ તા.૨-૭-૨૪ થી ૬ ટકા ના વ્યાજ સાથે ચુકવવાનો ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, જેતપર (મચ્છુ) ના રહીશ રામજીભાઈ ત્રિભોવનભાઈ અઘારા તેમના ખેતરમાં ટ્રેકટર ચલાવતા હતા સાંજના ચારેક વાગ્યાના સુમારે ટ્રેકટરમાં અવાજ આવતા જોવા માટ્ નિચે ઉતર્યા ત્યારે તેમનો પણ રોટાવેટરમાં આવી જતા ગંભીર ઈજા થયેલ અને તેઓ મૃત્યુ પામેલ.રામજીભાઈ મંડળીના સભાસદ હોઈ તેમણે ચોલામંડલમનો વિમો ઉતરાવેલ હતો.ગુજરનાર રામજીભાઈના વારસદાર નિર્મળાબેને વિમાના તમામ કાગળો રજુ કરેલ.પરંતુ વિમા કંપનીએ કહેલ કે રામજીભાઈ પાસે ડ્રાઈવીંગ લાયસન્સ નહોતુ તેથી તેઓ વિમો મેળવવા હકકદાર નથી.જેથી તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ચોલામંડલમ વિમા કંપની સામે અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓ.બેન્ક લી. સામે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.અદાલતે જણાવેલ કે ગુજરનાર રામજીભાઈ મંડળીના સભાસદ હતા અને વિમા પ્રિમીયમ રેગ્યુલર ભરેલ છે.ડ્રાઈવીંગ લાયસન્સની વાત આવે નહી.તે વિમો મેળવવા હકકદાર છે.માટે નિર્મળાબેનને રૂા.૧૦,૦૫,૦૦૦ (અંકે રૂા.દશ લાખ પાંચ હજા) ૬ ટકાના વ્યાજ સાથે તા.૨-૭-૨૪ થી ચુકવવાનો ગ્રાહક અદાલતે આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના વિમાની પોલીસીની નકલ હંમેશા લઈ લેવી જરૂરી છે. ગ્રાહક માટે ખાસ અદાલત હોય ગ્રાહકે પોતાના હકક માટે લડવુ જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા મો.૯૮૨૫૭ ૯૦૪૧૨, બળવંતભાઈ ભટ્ટ મો.૯૩૨૭૪ ૯૯૧૮૫ અથવા રામ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News