મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઓરડીમાં ગેસની ગુંગણામણથી બે યુવાનના મોત


SHARE











માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઓરડીમાં ગેસની ગુંગણામણથી બે યુવાનના મોત

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રેલવે ફાટક પાસે આવેલ ઓરડીમાં રહેતા બે યુવાનો ઓરડીમાં સુતા હતા અને સવારે ઊઠ્યા ન હતા જેથી અન્ય કર્મચારીઓએ ઓરડી ઉપર જઈને જોતા તે બંને બેભાન અવસ્થામાં હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને બંને યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેથી ફોરેન્સિક પીએમ કરાવતા તે બંને યુવાનનું મોત ગુંગણામણથી થયું હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રેલવે ફાટક પાસે આવેલ રમેશભાઈ રાઠોડની ઓરડીમાં રહેતા અને શ્રીજી શિપિંગ કંપનીમાં મજૂરી કામ કરતા મૂળ ઝારખંડના રહેવાસી કુલદીપકુમાર ચુરામણ મહતો (21) અને ગોપાલકુમાર ગિરધારી મહતો (20) નામના બે યુવાનો તા. 17 ના રોજ રાત્રિના 11:30 વાગ્યે જમીને પોતાની ઓરડીમાં સુઈ ગયા હતા અને બીજા દિવસે તા. 18 ના રોજ સવારે ઊઠ્યા ન હતા જેથી કરીને ત્યાં સાથે કામ કરતા કર્મચારીઓ તેની ઓરડી ઉપર જઈને જોતા આ બંને યુવાન બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તે બંનેને મૃત જાહેર કર્યા હતા અને બંને યુવાનની લાશનું ફોરેન્સિક પીએમ કરાવતા બંને યુવાનનું ગુંગણામણથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની ગણેશભાઈ ઉર્ફે જીવણ ટીકોભાઈ રવિદાસ (30) રહે. હાલ રમેશભાઈ રાઠોડની ઓરડીમાં મોટા દહીસરા મોરબી મૂળ રહે. ઝારખંડ વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે વધુમાં સાથે કામ કરતાં કર્મચારની કહેવા મુજબ જે ઓરડીમાં રહેતા હતા ત્યાં જ રસોઈ બનાવતા હતા જેથી કરીને કોઈ કારણોસર ઓરડીમાં ગેસનું ગુંગણામણ થવાથી તે બંનેના મોત નિપજ્યાં છે. 






Latest News