ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

ડ્રગ્સના ધંધાર્થીઓ મોરબીના ઝીઝુડા સુધી કેવી રીતે પહોચ્યા ? કોથળામાં શું છે તે ઘરધણી જાણતો ન હતો !


SHARE







ડ્રગ્સના ધંધાર્થીઓ મોરબીના ઝીઝુડા સુધી કેવી રીતે પહોચ્યા ? કોથળામાં શું છે તે ઘરધણી જાણતો ન હતો !

મૂળ બાબરા તાલુકાના મીયા ખીજડીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના ઘરે એટીએસની ટીમે રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી જામનગર જિલ્લાના જોડિયાનો મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ અને તેની સાથે સલાયાનો રહેવાસી ગુલામ હુસૈન ઉમર ભગાડ મળી આવ્યો હતો ત્યારે આ શખ્સો કે જે ડ્રગ્સના ધંધા સાથે સંડોવાયેલા છે તેના સંપર્કમાં સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ કેવી રીતે આવ્યો તે સવાલ ઊભો થયો હતો ત્યારે એવિ માહિતી સામે આવી છે કે, સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદની પત્ની જોડિયાની છે અને તેને મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવએ બહેન બનાવી છે જેથી કરીને તે સમસુદ્દીનના ઘરે આવતો જતો હતો અને તેના સંપર્કમાં હતો જેથી કરીને તેને વિશ્વમાં લઈને ત્યાં ડ્રગ્સ ઉતારવામાં આવ્યું હતુ

ઘરમાં આવેલા કોથળામાં ડ્રગ્સ છે તે સમસુદ્દીન જાણતો ન હતો !?

ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના ઘરે એટીએસની ટીમે રેડ કરીને ૧૧૮ કિલો ડ્રગ્સ પકડ્યું છે ત્યારે સવાલએ ઊભો થાય છે કે, સમસૂદદિનનો આમાં રોલ શું છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવએ કોથળા તેના ઘરે મોકલવ્યા હતા તે કોથળામાં શું છે તે ઘરધણી સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ જાણતો ન હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જો કે, એટીએસની તપાસમાં હજુ ચોકાવનારી માહિતી સામે આવે તેવું શ્ક્યતા છે






Latest News