મોરબી જિલ્લામાં શ્રમયોગીઓને મતદાનના દિવસે મતદાન કરવા માટે રજા આપવાની સુચના જાહેર કરાઈ મોરબી જિલ્લા આરટીઓ કચેરી અને આસપાસના વિસ્તારમાં એજન્ટ-બિનઅધિકૃત ઈસમોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો ભુજ-કચ્છ લોકસભા પરિવાર તરફથી ગાંધીધામ સ્થાપના દિને ભવ્ય રમતોત્સવ મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : ઘરે પડી જતા નિવૃત્ત આર્મીમેનનું મોત


SHARE













મોરબી : ઘરે પડી જતા નિવૃત્ત આર્મીમેનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા સાપર ગામના વતની અને હાલ નિવૃત્ત આર્મીમેન એવા આધેડ તેઓના ઘરે હતા ત્યારે ઘરે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા.જેથી તેઓને જેતપર સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સાપર ગામના રહેવાસી રમેશભાઈ નરશીભાઈ હમીરપરા કોળી નામના ૫૪ વર્ષના આધેડ તેઓના ઘરે હતા.ત્યારે તેઓ પડી ગયા હતા અને બેભાન હાલતમાં તેઓને જેતપર સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે જોઈ તપાસીને તેઓને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના પગલે તેઓનું મોત નીપજયુ હોવાનું હાલ પ્રાથમિક ધોરણે સામે આવેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા વજુભાઈ ખીમાભાઈ સોલંકી નામના ૬૫ વર્ષના આધેડ વાંકાનેર હાઇવે ઉપર હતા ત્યાં લાલપર ગામ પાસેથી સાયકલ લઈને જતા હતા ત્યારે અજાણ્યા મોટરસાયકલના ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર ગામે આવેલ દરિયાલાલ હોટલ ખાતે રહેતો સચિન મંજૂરભાઈ અનાડી નામનો ૨૫ વર્ષનો યુવાન તા.૨૭ ના બપોરના બે વાગ્યાના અરસામાં બાઈક લઈને જતો હતો ત્યારે દરિયાલાલ હોટલ નજીક તેના બાઈકને અજાણી કારના ચાલાકે હડફેટે લીધુ હતુ.જેથી ઇજા થવાથી સચિનને સિવિલ હોસ્પિટલે સારવારમાં લઇ જવાયો છે અને હાલ તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા તપાસ ચલાવી રહ્યા છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના વીસીપરા વિજયનગર વિસ્તારમાં રહેતી માલીબેન સતિષભાઈ ખીંટ નામના ૩૫ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હતા જેથી તેઓને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.તેઓનો લગ્નગાળો ૧૫ વર્ષનો હોય બનાવ અંગે પોલીસમાં જાણ કરાતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના ભરતભાઈ ખાંભરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.તેમજ મોરબીના હળવદ રોડ ઉપર પાસે આવેલ રામકો વિલેજમાં રહેતા સંજય બાબુભાઈ બારોટ નામના ૩૦ વર્ષના યુવાને પણ કોઈ કારણસર ફીનાઇલ પી લીધું હોય તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.હોસ્પીટલ દ્રારા બનાવની જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News