મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન અવસાન પામેલા સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન અનેક પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા હતાં, ત્યારે અવસાન પામેલ સ્વજનો તથા અકસ્માતે પણ અવસાન પામેલા સદ્દગતોનાં મોક્ષ અર્થે શ્રી નિલકંઠ મહાદેવ સેવા સમિતિ વાંકાનેર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ " મોક્ષ કથા" નું આયોજન કરવામાં આવ્યું છે, તા. 20 થી 27 ડિસેમ્બર દરમ્યાન ભાગવત સપ્તાહ યોજાશે, જેમાં વક્તા શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષી (ઝૂંડાળા વાળા) દ્વારા વ્યાસપીઠ પરથી કથા પાન કરવામાં આવશે, ગઢની રાંગ, નિલકંઠ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં નિત્ય બપોરે એક ટાઈમ 3-30 થી 6-30 દરમ્યાન કથા યોજાશે, આ સપ્તાહમાં પોતાના સ્વજનો માટે ભાગવત પોથીનો પાટલો નોંધાવવા માગતાં સદ્ગ્રહસ્થએ સમિતિનાં સભ્યો નો સંપર્ક કરવા શ્રી નિલકંઠ મહાદેવ સેવા સમિતિ વાંકાનેર દ્વારા જણાવાયું છે.






Latest News