મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના સીડીએસ ગ્રુપ દ્વારા પાટીદાર સમાજના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવાના સંકલ્પ સાથે મોરબીથી સિદસર સુધીની યાત્રા યોજાઇ


SHARE













મોરબીના સીડીએસ ગ્રુપ દ્વારા પાટીદાર સમાજના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવાના સંકલ્પ સાથે મોરબીથી સિદસર સુધીની યાત્રા યોજાઇ

મોરબીમાં કાર્યરત સી.ડી.એસ. પાટીદાર યુવા ગ્રુપ દ્વારા આજથી મોરબી જીલ્લામાં પાટીદાર સમાજના જરૂરીયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓને ફી ભરવાના સંકલ્પ સાથે મોરબીથી સિદસર ઉમિયા માતાજીનાં મંદિર સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા અને ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા પણ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ પણ યુવાનોની આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી અને માતાજી તેઓને આ સેવા કરવા માટે થઈને આર્થિક રીતે સમૃદ્ધ બનાવે તેમજ શક્તિ આપે તેવી પણ તેમણે ઉમિયા માતાજીને પ્રાર્થના કરી હતી.

 કોરોના કાળ દરમ્યાન ઘણા એવા પરિવારોએ પોતાના પરિવારનો આધાર ગુમાવ્યો છે તો ઘણા વિદ્યાર્થીઓએ પોતાના પિતા ગુમાવ્યા છે આવા પરિવારોને મદદરૂપ થવા માટે ઘણીબધી સંસ્થાઓ દ્વારા આ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે જો વાત કરીએ મોરબીના સી.ડી.એસ. પરિવાર પાટીદાર ગ્રુપની તો સી.ડી.એસ. ગ્રુપ દ્વારા કોરોનાની પહેલી લહેર બાદ મોરબીના શનાળા ગામે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાંથી જે ભંડોળ એકત્રિત થયું હતું તેના માધ્યમથી મોરબી શહેર અને તાલુકાનાં જરૂરિયાતમંદ પરિવારના પાટીદાર સમાજના દિકરા-દિકરીઓને ભણવા માટે ફી ભરવામાં આવી રહી છે આજની તારીખે મોરબીમાં ૧૬ વિદ્યાર્થીઓની ફી આ સંસ્થા દ્વારા ભરવામાં આવી રહી છે અને જો કે, અત્યાર સુધી આ સેવાકીય પ્રવૃત્તિ માત્ર મોરબી શહેર અને તાલુકા વિસ્તાર પૂરતી હતી અને પાટીદાર સમાજના વિદ્યાર્થીએ પોતાના પિતા કે ઘરના આધારને ગુમાવ્યાં હોય તો તેને ભણવા માટે આર્થિક જરૂરિયાત હોય તો સી.ડી.એસ. દ્વારા ફી ભરી આપવામાં આવતી હતી.

 જો કે, સી.ડી.એસ. ટ્રસ્ટ દ્વારા આ એવો સંકલ્પ કરવામાં આવેલ છે કે આજથી મોરબી જિલ્લાની અંદર પાટીદાર સમાજના દિકરા દિકરીઓને અભ્યાસ માટે આર્થિક મૂંઝવણ હોય અને તેની માહિતી જો ગ્રૂપને મળશે તો તેઓ દ્વારા વિદ્યાર્થીઓને ભણવા માટે થઈને ફી ની વ્યવસ્થા કરવામાં આવશે તેવું સી.ડી.એસ. ગ્રુપના વિશાલભાઈ ઘોડાસરા, અશોકભાઇ દેસાઇ અને રાકેશભાઈ કાવરે જણાવ્યું છે આજે આ સંકલ્પ સાથે મોરબીના શનાળા રોડ ઉપરથી સિદસર સુધીની યાત્રા સી.ડી.એસ. ગ્રૂપના યુવાનો દ્વારા યોજવામાં આવી હતી ત્યારે મોરબીમાં રહેતાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ યુવાનોની સેવાકિય પ્રવૃતિને બિરદાવી હતી અને તેઓને આ કાર્ય સિદ્ધ કરવા માટે થઈને ઉમિયા માતાજી શક્તિ આપે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

 

 






Latest News