મોરબીમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર શાળા ખાતે શંખનાદ અભ્યાસ વર્ગ યોજાયો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739101670.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર શાળા ખાતે શંખનાદ અભ્યાસ વર્ગ યોજાયો
મોરબીના શનાળા ખાતે આવેલું વિદ્યા ભારતીય સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શિક્ષણના અનેક જુદા જુદા પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુશુપ્ત શક્તિ જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન ના ભાગરૂપે શિક્ષણમાં સમગ્ર વિકાસ અભ્યાસક્રમ નો પ્રયોગ ઘણા વર્ષોથી ચાલે છે. વિદ્યાર્થીનો સર્વાંગણ વિકાસ કરવા માટે શિક્ષણને સહાયક એવા અનેક કાર્યક્રમો વિદ્યાલયના માધ્યમથી થાય છે.
મોરબીમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર શાળામાં ધો. 5 થી 8 ના લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓ 10 જેટલા વાલીઓ અને 10 વ્યવસ્થાપક આચાર્યો માટે શંખનાદ અભ્યાસ વર્ગનો આયોજન થયું. આ અભ્યાસ વર્ગમાં વિશેષ માર્ગદર્શન માટે શંખ વિશેષજ્ઞ સમીરભાઈ પંડ્યા કડીથી આવ્યા હતા અને તેને શંખનાદ કરવાથી વિદ્યાર્થીની સ્મૃતિ શક્તિમાં વધારો થાય છે. વિદ્યાર્થીનું શારીરિક બળ વધે છે. ગળાનો વિકાસ થાય છે. બીજી અનેક નાની મોટી શારીરિક તથા માનસિક મુશ્કેલીઓ દૂર થાય છે. શંખનાદ એક આધ્યાત્મિક પ્રક્રિયા પણ છે. આ બધું સમજાવતા તેમણે શંખના વિવિધ પ્રકાર વિશે પણ વાત કરી હતી અને શંખનાદ કેવી રીતે કરી શકાય તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને શંખનાદનો અભ્યાસ ખુબ સુંદર રીતે કરાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાલયના વ્યવસ્થાપક સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)