વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે પરણીતાએ પતિ-જેઠના ત્રાસથી કર્યો’તો આપઘાત: ગુનો નોંધાયો


SHARE













મોરબીના મકનસર ગામે પરણીતાએ પતિ-જેઠના ત્રાસથી કર્યો’તો આપઘાત: ગુનો નોંધાયો

મોરબી તાલુકાના મકસર ગામ પાસે પ્રેમજીનગર વિસ્તારમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતા દ્વારા તેના જમાઈ સહિત બે શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીશરૂ કરે છે

જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેવસર ગામના રહેવાસી ભગવાનજીભાઈ મૂળાજીભાઈ દવે (59) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ કિશનભાઇ મુળાજીભાઈ જોશી અને તેની દીકરીના જેઠ હામથાજી મુળાજી દવે રહે. બંને પ્રેમજીનગર મકનસર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓ તેની દીકરી રસીલા ઉર્ફે જયશ્રીને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને અવારનવાર ફરિયાદીની દીકરીને તેના પતિ દ્વારા ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો અને જેઠ હામથાજીએ ફરિયાદીની દીકરી સાથે ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને દુઃખ ત્રાસથી કંટાળીને ફરિયાદીની દીકરીએ ગત્ત તા. 7/2 ના રોજ પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ અને જેસામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News