ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપી દ્વારા નગર અભ્યાસ વર્ગ યોજાયો: કારોબારીની ઘોષણા કરવામાં આવી


SHARE







મોરબીમાં એબીવીપી દ્વારા નગર અભ્યાસ વર્ગ યોજાયો: કારોબારીની ઘોષણા કરવામાં આવી

મોરબી એબીવીપી દ્વારા ઓમશાંતિ સંકુલ ખાતે નગર અભ્યાસ વર્ગ યોજાયો હતો જેમાં નવનિયુક્ત કારોબારીની ઘોષણા કરવામા આવી હતી અને ત્યારે મોરબી જીલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા, જિલ્લા સંયોજક સંદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિ રહીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખાના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે પ્રો.મનહરભાઈ સૂદ્રા તેમજ નગરમંત્રી તરીકે વિશ્વરાજસિંહ જાડેજાની નિમણુક કરવામાં આવી હતી અને નગર અધ્યક્ષ મનહરભાઈ શુદ્રા હાલમાં શ્રીમતી આર.ઓ.પટેલ વિમેન્સ કોલેજ મોરબીમા પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે.

હાલમાં નગર અધ્યક્ષ મનહરભાઈ સુદ્રા, મંત્રી વિશ્વરાજસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ મુકતાબેન સોલંકી, સહ મંત્રી વિનેશભાઈ રાઠોડ, સહમંત્રી શિવાંગભાઈ નાનક, સહમંત્રી વિધીબેન દોશી, કેમ્પસ પ્રમુખ કર્મદીપસિંહ ઝાલા, કેમ્પસ સહપ્રમુખ સંજયભાઈ સાંકડેચા, કેમ્પસ સહપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, કાર્યાલય મંત્રી બંસીભાઈ અઘારા, સહ કાર્યાલયમંત્રી રિધમભાઈ વાછાણી, સોશિયલ મીડિય સંયોજક  હર્ષભાઈ પંડ્યા, છાત્રા પ્રમુખ આરતીબેન રાંકજા, સહછાત્રા પ્રમુખ ગંગાબેન ભટ્ટ, સંયોજક જયેન્દ્ધભાઈ પ્રજાપતિ, સહ સંયોજક જયદિપભાઈ ગરચર, સંયોજક શકિતસિંહ ઝાલા, સહ સંયોજક યશભાઈ પરમાર, સંયોજક હર્ષિતરાજસિંહ ઝાલા, હોસ્ટેલ સંયોજક અભયભાઈ સોલિયા, રમતગમત સ્પોર્ટ્સકાર્ય સંયોજક નીલેશભાઈ રાણપરા, સ્ટડી સર્કલ ઇન્ચાર્જ સુર્યદીપસિંહ જાડેજા, નગર કોષાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, વિશેષ ઉપસ્થિત કારોબારી સદસ્ય ડો. ભાવેશભાઈ જેતપરિયા, નગર કારોબારી સદસ્ય અનિલભાઈ ખાખરેચા, ધૈર્યભાઈ દવે, વિશ્વરાજસિંહ ઝાલા,  જેનીશભાઈ પાટડિયા, ઋત્વિકભાઈ બેરા, પાર્થભાઈ ડાભી,  હર્ષદિપસિંહ જાડેજા, કુલદીપભાઈ ખુંગલા, પ્રણવભાઈ માલસ્તર, અનુરાગભાઈ ચૌધરી, હર્શભાઈ મકવાણાનો કારોબારીમાં સમાવેશ કરવામાં આવેલ છે






Latest News