ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે ખખડધજ રોડના લીધે અકસ્માત, યુવાનનું મોત


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે ખખડધજ રોડના લીધે અકસ્માત, યુવાનનું મોત

મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલ મહેન્દ્રનગર ગામ પાસે થોડા દિવસો પહેલા એક વાહન અકસ્માત થયો હતો જેમાં એક યુવાનનું મોત નિપજ્યા બાદ ગઈકાલે મોડીરાત્રીના ખખડધજ રોડના લીધે વધુ એક યુવાનનું વાહન અકસ્માતના બનાવમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી અને જીલ્લામાં મોટાભાગના રસ્તાઓ ખખડધજ હાલમાં છે તે સર્વ વિદિત છે તેવામાં રોડ ઉપરનો ખાડો તારવવા જતા બાઇકમાંથી નીચે પડી ગયેલ યુવાન પાછળથી આવતી કારની ઠોકરે ચડી જતાં તેનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું છે.વધુમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતો અને મોરબીના હળવદ રોડ ઉપર માંડલ ગામ નજીક કારખાનામાં કામ કરતો જયેશ વશરામભાઇ સનારીયા જાતે પટેલ નામનો ૨૨ વર્ષીય યુવાન ગઇકાલે સાંજે નવેક વાગ્યાના અરસામાં કામ ઉપરથી પરત ઘરે નાની વાવડી જવા માટે નીકળ્યો હતો દરમિયાનમાં મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસેની આઇટીઆઇ નજીક રોડ ઉપરના ખાડાને તારવવા જતા જયેશ સનારીયા બાઇકમાંથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે દરમ્યાનમાં તે પાછળથી આવતી કારને હડફેટે ચડી જતાં ગંભીરપણે ઈજાગ્રસ્ત થયેલા જયેશ સનારીયાનું મોત નીપજયું હતું બનાવ ને પગલે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જસપાલસિંહ જાડેજાએ મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા રમેશભાઇ વસ્તાભાઇ મોરડીયા જાતે પટેલ નામના ૬૦ વર્ષિય આધેડ બાઇક લઇને વાંકાનેર હાઇવે ઉપરથી જતાં હતા ત્યારે એચડીએફસી બેંક નજીક બનેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થવાથી રમેશભાઈને ય મોરબીની સાગર હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના ભગવાનજીભાઈ કાનજીભાઈ ભંખોડીયા નામનો ૪૮ વર્ષીય યુવાન મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપરથી જતો હતો ત્યાં ઉમાવિદ્યા સંકુલ નજીક બાઇકની આડે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાથી ઈજાગ્રસ્ત થયેલા ભગવાનજીભાઈને ડો.હેમલ પટેલની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.






Latest News