મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે ખખડધજ રોડના લીધે અકસ્માત, યુવાનનું મોત


SHARE













મોરબીના મહેન્દ્રનગર પાસે ખખડધજ રોડના લીધે અકસ્માત, યુવાનનું મોત

મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલ મહેન્દ્રનગર ગામ પાસે થોડા દિવસો પહેલા એક વાહન અકસ્માત થયો હતો જેમાં એક યુવાનનું મોત નિપજ્યા બાદ ગઈકાલે મોડીરાત્રીના ખખડધજ રોડના લીધે વધુ એક યુવાનનું વાહન અકસ્માતના બનાવમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી અને જીલ્લામાં મોટાભાગના રસ્તાઓ ખખડધજ હાલમાં છે તે સર્વ વિદિત છે તેવામાં રોડ ઉપરનો ખાડો તારવવા જતા બાઇકમાંથી નીચે પડી ગયેલ યુવાન પાછળથી આવતી કારની ઠોકરે ચડી જતાં તેનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું છે.વધુમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતો અને મોરબીના હળવદ રોડ ઉપર માંડલ ગામ નજીક કારખાનામાં કામ કરતો જયેશ વશરામભાઇ સનારીયા જાતે પટેલ નામનો ૨૨ વર્ષીય યુવાન ગઇકાલે સાંજે નવેક વાગ્યાના અરસામાં કામ ઉપરથી પરત ઘરે નાની વાવડી જવા માટે નીકળ્યો હતો દરમિયાનમાં મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસેની આઇટીઆઇ નજીક રોડ ઉપરના ખાડાને તારવવા જતા જયેશ સનારીયા બાઇકમાંથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે દરમ્યાનમાં તે પાછળથી આવતી કારને હડફેટે ચડી જતાં ગંભીરપણે ઈજાગ્રસ્ત થયેલા જયેશ સનારીયાનું મોત નીપજયું હતું બનાવ ને પગલે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જસપાલસિંહ જાડેજાએ મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા રમેશભાઇ વસ્તાભાઇ મોરડીયા જાતે પટેલ નામના ૬૦ વર્ષિય આધેડ બાઇક લઇને વાંકાનેર હાઇવે ઉપરથી જતાં હતા ત્યારે એચડીએફસી બેંક નજીક બનેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થવાથી રમેશભાઈને ય મોરબીની સાગર હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના ભગવાનજીભાઈ કાનજીભાઈ ભંખોડીયા નામનો ૪૮ વર્ષીય યુવાન મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપરથી જતો હતો ત્યાં ઉમાવિદ્યા સંકુલ નજીક બાઇકની આડે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાથી ઈજાગ્રસ્ત થયેલા ભગવાનજીભાઈને ડો.હેમલ પટેલની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.






Latest News