મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર વિસ્તારમાં થયેલ મારામારીમાં સાત ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE











મોરબીના પ્રેમજીનગર વિસ્તારમાં થયેલ મારામારીમાં સાત ઇજાગ્રસ્તો સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર પાસેના પ્રેમજીનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના મળીને કુલ છ લોકોને ઈજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે અને તે પૈકીના બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું મોરબી તાલુકા પોલીસ મથકના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. 

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં ગત મોડી સાંજે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગુલાબ વેલજીભાઇ શેખવા (૨૯), જયેશ વેલજીભાઇ સેખવા અને સુનીલ બાબુભાઇ પરમાર (૩૦) તેમજ સામેના પક્ષના કાંતાબેન ચુનીલાલ વઘેરા (૪૦), રાકેશ ચુનીલાલ વઘેરા (૨૨), ચુનીલાલ કમાભાઇ વઘેરા (૪૫) અને સુરેશ ચુનીલાલ વઘેરા (૨૦) નામના કુલ છ લોકોને ઈજાઓ થઈ હતી જેથી કરીને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ગુલાબ શેખવા અને સુનીલ પરમારને રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલે આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસના અંતે ખૂલ્યું હતું કે, ગુલાબભાઈ શેખવાની પાન-માવાની દુકાન છે અને ત્યાં વઘેરા પરિવારનો સુરેશ અથવા રાકેશ પાન માવો ખાવા ત્યાં ગયા હતા અને તે દરમિયાન પાનમાવાના આગલા બાકી પૈસા બાબતે ગુલાબભાઈએ કહેતા તે વાતને લઈને "અમે ક્યાં ગામ મુકીને ભાગી જવાના છીએ." તેમ કહીને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઉગ્ર ઝઘડો થવાથી હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તલવાર, પાઇપ અને ધોકા જેવા હથીયારો વડે મારામારી થઈ હોય અને માથાના ભાગે તલવાર લાગી જવાથી ગુલાબભાઈ શેખવાને હાલ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારાના બાલાજી બિલ્ડિંગ નજીક રહેતા જગદીશભાઇ શ્રીભુવનેશ્વર ચૌધરી (૩૦) અને લોચન સુકદ સદાઇ (૨૦) નામના બે યુવાનોને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થવાથી બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે રહેતા ગીતાબેન અજયભાઈ દેવીપુજક નામની ૩૦ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.






Latest News