મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

માળીયા(મી) તાલુકામાં ૨૭ કરોડના રોડ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા 


SHARE













માળીયા(મી) તાલુકામાં ૨૭ કરોડના રોડ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા 

માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મોરબી જિલ્લાના અંદાજે ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ૭૬ કિલોમીટરના વિવિધ રોડ-રસ્તા, રી-સર્ફેસીંગ તેમજ કાચા રસ્તા માંથી પાકા રસ્તા બનાવવાના વિવિધ કામોનું ખાતમૂહુર્ત શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું.

 ખાતમૂહુર્ત પ્રસંગે વિવિધ સ્થાનો પર આયોજિત સમારંભમાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તાઓ ૭૬ કિલો મીટરની લંબાઈના ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે તેનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. હાલમાં ૧૯ સ્થળો પર ખાતમૂહુર્ત કરવામાં આવ્યા છે માળીયા તાલુકાની પ્રજાની લાંબાગાળાની માંગણીઓ પૂરી કરી છે. જેથી અહીંના પ્રજાજનોમાં આનંદની લાગણી છે આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે માળીયા તાલુકાના ગામડાઓમાં સિંચાઇનું પાણી આપવા માટે વચન આપ્યું હતું જે વચનો પૂર્ણ કર્યા હતા સાથે જ માળિયાની પ્રજાના પ્રશ્નો અંગે સતત સરકાર સમક્ષ રજૂ કરી નવા નવા કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે મંત્રી દ્વારા માળીયા પીપળીયા હજનાળી સ્ટેટ હાઇવે, કુંતાસીથી હજનાળી તથા કુંતાસીથી મોટી દહીંસરા, સ્ટેટ હાઇવેથી બોડકી, મોટી દહીસરા થી નાનાભેલા, મોટી દહીંસરાથી કૃષ્ણનગર રસ્તા પર સ્લેબ ડ્રેઇનનું કામ, વવાણીયાથી ચમનપર-નાનાભેલા, વવાણીયાથી વર્ષામેડી, મોટા ભેલાથી જશાપર, સરદારનગર (સરવડ) થી પીપળીયા-મહેન્દ્રગઢ-સરવડ, મોટી બરારથી નાની બરાર, નાની બરાર થી જાજાસર, હળવદ સ્ટેટ હાઇવે થી પંચવટી ખીરઇ, સ્ટેટ હાઇવે થી વિરવદરકા, ખાખરેચી થી વેણાસર, જૂના ઘાંટીલા થી ટીકર તથા મંદરકી એપ્રોચ રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ અવસરે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, અગ્રણીઓ જિગ્નેશભાઇ કૈલા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, જિલ્લા પંચાયત આરોગ્યા સમિતિના ચેરમેન  હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને બાબુભાઈ હુંબલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, માળીયા તાલુકા ભાજપના પ્રભારી સુભાષભાઈ પડસુબીયા, હર્ષભઈ કડીવાર, જયદીપ સંઘાણી, મનીષાભાઈ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ કાર્યપાલક ઇજનેર ચૌધરી, ગામના સરપંચઓ, સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News