મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામેથી સગીરાનું અપહરણ કરનારની ધરપકડ


SHARE













મોરબીના રવાપર ગામેથી સગીરાનું અપહરણ કરનારની ધરપકડ

મોરબી નજીકના રવાપર ગામેથી સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હતુ જેથી ભોગ બનનાર સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ એક શખ્સની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું મૂળ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારમાં આવેલા આંગન પેલેસમાં રહેતો જયદીપ ઉર્ફે જય સુરેશભાઈ બારૈયા પટેલ (૨૩) નામનો શખ્સ અપહરણ કરી ગયો હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પીઆઇ જે.એમ.આલે અપહરણ, દુષ્કર્મ, પોકસો સહીતની કલમ હેઠળ ગુનો નોંધીને ગણતરીના દિવસોમાં જ અપહરણના આરોપી જયદીપ ઉર્ફે જય સુરેશભાઈ બારૈયા પટેલ (૨૩) ને પકડી પાડેલ છે તેમજ સગીરાને મુકત કરાવી હતી.






Latest News