મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ઘરે પડી જવાથી ઇજા પામેલા બાળકનું મોત: માટેલ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારી સબબ બાળકીનું મોત


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે ઘરે પડી જવાથી ઇજા પામેલા બાળકનું મોત: માટેલ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારી સબબ બાળકીનું મોત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ખોડીયાર માતાજીના મંદિરની પાસે રહેતા પરિવારનું બાળક કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઘરે પડી જતા તેને જમણા પગમાં ઇજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા શક્તિસિંહ તી બટુકસિંહ ઝાલા નો 16 વર્ષનો દીકરો હરપાલસિંહ શક્તિસિંહ ઝાલા પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર તે પડી જતા તેને જમણા પગમાં ઈજા થઈ હજેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે

બીમારી સબબ મોત

વાંકાનેર તાલુકાના જૂના માટેલ રોડ ઉપર માટેલ ગામની સીમમાં આવેલ સ્પેન્ટો પેપરમીલની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સુનિલભાઈ રામપ્રસાદ રાવતની 13 વર્ષની દીકરી લાલતી રાવત છેલ્લા 15 દિવસથી બીમાર હતી અને બીમારી સબતેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News